જાણો કોને મળવા સોનિયા ગાંધી અને મનમોહનસિંહ તિહાડ જેલ પહોંચ્યા

|

Sep 23, 2019 | 5:48 AM

કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહનસિંહ સોમવારે પી.ચિદમ્બરમને મળવા તિહાડ જેલ પહોંચ્યા. ચિદમ્બરમ INX મીડિયા કેસમાં 5 સપ્ટેમ્બરથી તિહાડ જેલમાં બંધ છે. આ પહેલા કાર્તિ ચિદમ્બરમે તેમના પિતાની જેલમાં મુલાકાત કરી હતી. ઉલ્લેખનીય છે કે કોર્ટે ગુરૂવારે સુનાવણી દરમિયાન પી.ચિદમ્બરમની ન્યાયિક કસ્ટડી 3 ઓક્ટોબર સુધી વધારી દીધી હતી. હવે તેમની જામીન અરજી પર […]

જાણો કોને મળવા સોનિયા ગાંધી અને મનમોહનસિંહ તિહાડ જેલ પહોંચ્યા

Follow us on

કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહનસિંહ સોમવારે પી.ચિદમ્બરમને મળવા તિહાડ જેલ પહોંચ્યા. ચિદમ્બરમ INX મીડિયા કેસમાં 5 સપ્ટેમ્બરથી તિહાડ જેલમાં બંધ છે. આ પહેલા કાર્તિ ચિદમ્બરમે તેમના પિતાની જેલમાં મુલાકાત કરી હતી.

ઉલ્લેખનીય છે કે કોર્ટે ગુરૂવારે સુનાવણી દરમિયાન પી.ચિદમ્બરમની ન્યાયિક કસ્ટડી 3 ઓક્ટોબર સુધી વધારી દીધી હતી. હવે તેમની જામીન અરજી પર આજે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થશે. આ સુનાવણી પર દરેક લોકોની નજર છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ તિહાડ જેલમાં ચિદમ્બરમની મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા. સોનિયા ગાંધી અને મનમોહનસિંહ સવારે 8.47 વાગ્યાથી 9.30 વાગ્યા સુધી જેલની અંદર પી.ચિદમ્બરમની મુલાકાત કરી હતી. તેમને ચિમ્દબરમને લઈ મીડિયામાં કોઈ નિવેદન આપ્યુ નથી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

થોડા દિવસ પહેલા જ કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ અને અહેમદ પટેલે તિહાડ જેલમાં ચિદમ્બરમની મુલાકાત લીધી હતી. તે દરમિયાન તેમની સાથે ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમ પણ હાજર હતા. પૂર્વ નાણામંત્રી ચિદમ્બરમની તબિયત સારી નથી. ચિદમ્બરમને ઘણા પ્રકારની બિમારીઓ હોવાને કારણે તેમનુ વજન ઝડપથી ઘટી રહ્યું છે. ચિદમ્બરમના વકીલ કપિલ સિબ્બલે કોર્ટ પાસે માગણી કરી છે કે ચિદમ્બરમને સમય-સમય પર મેડિકલ સર્વિસ અને સપ્લીમેન્ટ્રી ડાયટ આપવામાં આવે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

કપિલ સિબ્બલે કહ્યું હતું કે ચિદમ્બરમને એમ્સમાં તપાસ કરાવવાની પરવાનગી આપવામાં આવે. તેની પર જસ્ટિસ મહેતાએ કહ્યું હતું કે કોઈ પણ કેદીના તબિયતની ચિંતા હોવી જોઈએ. કાયદામાં જે પણ સ્વીકાર્ય હોય, જેલ અધિકારીઓને તે કરવુ જોઈએ. ત્યારે ચિદમ્બરમના વધુ એક વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ કોર્ટમાં કહ્યું હતું કે જેલમાં ચિદમ્બરમના સેલની બહાર એક ખુરશી હતી પણ તેને હવે હટાવી લીધી છે. આ કારણે તેમને બેડ પર જ બેસવુ પડે છે. તેમને સૂવા માટે તકિયો પણ નથી આપવામાં આવ્યો. તેનાથી તેમને ખુબ મુશ્કેલી પડી રહી છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article