‘આ એક રાજકીય રમત છે’ જાણો શા માટે શિવસેનાએ આપ્યું આવું નિવેદન

|

Aug 09, 2021 | 5:13 PM

સામનામાં એવોર્ડનું નામ બદલવા માટે માત્ર એક જ હેતુ દર્શાવવામાં આવ્યો છે અને તે છે દ્વેષની ભાવનાવાળું રાજકારણ. સામનામાં લખવામાં આવ્યું છે કે મેજર ધ્યાનચંદના સન્માન માટે આનાથી પણ મોટો એવોર્ડ શરૂ કરી શકાયો હોત.

આ એક રાજકીય રમત છે જાણો શા માટે શિવસેનાએ આપ્યું આવું નિવેદન
ખેલ રત્ન પુરસ્કારનું નામ બદલવાની ઘટનાને શીવસેનાએ દ્વેષની રાજનીતી ગણાવી

Follow us on

રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડનું નામ બદલવાના મુદ્દે શિવસેના (Shivsena)એ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. શિવસેનાના મુખપત્ર સામનામાં આની ટીકા કરવામાં આવી છે. સામના (Saamana)માં લખવામાં આવ્યું છે, ટોક્યો ઓલિમ્પિકને કારણે દેશમાં અન્ય રમતો પર ઉત્સાહનો માહોલ હતો, ત્યારે જ નિરજ ચોપરા (Neeraj Chopra)એ ભાલા ફેંકમાં દેશ માટે પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સોનેરી ક્ષણની ઉજવણી દરમિયાન જ કેન્દ્ર સરકારે રાજકીય રમત રમી હતી.

 

 

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

આ રાજકીય રમતને કારણે ઘણા લોકોના મનને ઠેસ પહોંચી છે. રાજીવ ગાંધી (Rajeev Gandhi) ખેલ રત્ન એવોર્ડનું નામ બદલીને મેજર ધ્યાનચંદ (Major Dhyanchand) ખેલ રત્ન એવોર્ડ રાખવામાં આવ્યું છે. સામનામાં આગળ લખ્યું છે આજે મોદી સરકારે રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ તરીકે નામ આપ્યું છે. આનો અર્થ એ છે કે અગાઉની સરકારો ધ્યાનચંદને ભૂલી ગઈ હતી, એવું નથી. વર્ષ 1956માં ધ્યાનચંદને ત્રીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ‘પદ્મ ભૂષણ’ એનાયત કરવામાં આવ્યો હતો.

 

 

3 ડિસેમ્બર 1979ના રોજ આ મહાન ખેલાડીનું દિલ્હીમાં અવસાન થયું. ધ્યાનચંદનો જન્મદિવસ ‘રાષ્ટ્રીય ખેલ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. ધ્યાનચંદના નામે રાષ્ટ્રીય પુરસ્કારો પણ આપવામાં આવે છે. મેજર ધ્યાનચંદનું રમતગમત ક્ષેત્રે યોગદાન ઘણું મોટું છે. ધ્યાનચંદ એક સારા વ્યક્તિ હતા અને પંડિત નેહરુ સાથે તેમના ગાઢ સંબંધો હતા. તેથી, દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર રાજીવ ગાંધીનું નામ ભૂંસી નાખવું અને મેજર ધ્યાનચંદનું નામ ત્યાં મૂકવું, તે ધ્યાનચંદ માટે પણ મોટું ગૌરવ છે, તેવું ગણી શકાય નહીં.

 

એવોર્ડનું નામ બદલવું એ દ્વેષની રાજનીતીનું પરીણામ

સામનામાં એવોર્ડનું નામ બદલવા માટે માત્ર એક જ હેતુ દર્શાવવામાં આવ્યો છે અને તે છે દ્વેષની ભાવનાવાળું રાજકારણ. સામનામાં લખવામાં આવ્યું છે કે મેજર ધ્યાનચંદના સન્માન માટે આનાથી પણ મોટો એવોર્ડ શરૂ કરી શકાયો હોત. પરંતુ આમ ન કરીને 1992થી ચાલી રહેલા એવોર્ડનું નામ બદલીને એક રાજકીય રમત રમવામાં આવી છે.

 

જો રાજીવ ગાંધીએ હોકી સ્ટિક નથી પકડી તો નરેન્દ્ર મોદીએ પણ બેટ પકડ્યું નથી’

સામનામાં આગળ લખ્યું છે. “હવે ભાજપના રાજકીય ખેલાડીઓ કહી રહ્યા છે કે ‘શું રાજીવ ગાંધીએ ક્યારેય હાથમાં હોકી સ્ટિક પકડી હતી?’ તેમનો પ્રશ્ન માન્ય છે, પરંતુ  અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્ર મોદીના નામ પર રાખ્યું છે તો શું  મોદીજીએ  ક્રિકેટમાં આવું કોઈ પરાક્રમ કર્યું છે કે કેમ? અથવા દિલ્હીના સ્ટેડિયમનું નામ અરુણ જેટલીના નામ પરથી રાખ્યું છે. આ જ વાત ત્યાં પણ લાગુ પડે છે. લોકો આવા વેધક સવાલો પૂછી રહ્યા છે.

 

 

હોકીની સફળતાના શ્રેય માટે હકદાર ઓડિશાના નવીન બાબુ

સામનામાં મોદી સરકારની ઓલિમ્પિક મેડલની ઉજવણી અને તેનો શ્રેય લેવા પર પણ સવાલ ઉઠાવ્યા છે. સામનામાં લખ્યું છે, “મોદી સરકાર આજે ઓલિમ્પિક મેડલની ઉજવણી કરી રહી છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં મોદી સરકારે ‘ઓલિમ્પિક’ના બજેટમાં લગભગ 300 કરોડનો ઘટાડો કર્યો છે.

 

સહારાએ હિન્દુસ્તાની પુરુષ અને મહિલા હોકી એસોસિએશનની સ્પોન્સરશિપ છોડ્યા બાદ ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે આ બે હોકી એસોસિએશનને સ્વીકાર્યું. તેથી, જે રીતે ‘હોકી’ની સફળતાનો શ્રેય સંઘની મહેનતને જાય છે, તેવી જ રીતે ઓડિશાના નવીન બાબુને પણ છે.

 

લોકલાગણી વગેરે કહેવાની વાતો હકીકતમાં તે હાલના શાસકો દ્વારા નક્કી કરવામાં આવે છે

શિવસેનાના મુખપત્રમાં ખેલ રત્ન પુરસ્કારનું નામ બદલીને જાહેર ભાવના પર વાંધો ઉઠાવવામાં આવ્યો છે. સામના અનુસાર જો લોકલાગણી ધ્યાનચંદ સાથે છે તો તે અન્ય ખેલાડીઓ સાથે પણ છે. સામનામાં લખ્યું છે “પીવી સિંધુએ સતત બીજી વખત ઓલિમ્પિક મેડલ જીત્યો છે. મહારાષ્ટ્રના ખાશાબા જાધવનું પરાક્રમ પણ મહાન હતું.

 

હેલસિંકી ઓલિમ્પિકમાં પ્રથમ વ્યક્તિગત મેડલ જીતનાર તે મહાન  કુસ્તીબાજ હતા. જો તેમના કુસ્તીબાજોએ ઓલિમ્પિકમાં મેડલ જીત્યા હોય તો તેમને ખાશાબા જાધવના નામે ખેલ રત્ન એવોર્ડ શા માટે મળવો ન જોઈએ, ધ્યાનચંદ હોકીના જાદુગર હતા, એ જ રીતે ખાશાબા કુસ્તીના જાદુગર હતા. લોકલાગણી  વગેરે કહેવું ઠીક છે પણ હાલના શાસકો નક્કી કરે છે, એ જ લોકલાગણી.

 

રાજીવ ગાંધીનું અપમાન કર્યા વગર પણ થઈ શકતું હતું ધ્યાનચંદનું સન્માન

સામનામાં લોક લાગણીના નામે અગાઉના વડાપ્રધાનો દ્વારા કરવામાં આવેલા કામોની અવગણના કરવાની ભાવનાની ટીકા કરવામાં આવી છે. સામનામાં લખ્યું છે, “ઈન્દિરા ગાંધીની આતંકવાદીઓએ હત્યા કરી હતી. રાજીવ ગાંધીએ પણ આતંકી હુમલામાં જીવ ગુમાવ્યો હતો. બંનેના વિચારોને લઈને મતભેદ હોઈ શકે છે. લોકશાહીમાં મતભેદો માટે એક સ્થાન છે, પરંતુ દેશની પ્રગતિમાં અપાર યોગદાન આપનારા વડાપ્રધાનોનું બલિદાન ઉપહાસનો વિષય બનાવી શકાય નહીં.

 

 

રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડને  ‘મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ’ નામ આપવું, તે લોકલાગણી નહીં, રાજનૈતિક રમત ગણી શકાય. રાજીવ ગાંધીના બલિદાનનું અપમાન કર્યા વગર પણ મેજર ધ્યાનચંદ સન્માનિત થઈ શક્યા હોત.

 

આ પણ વાંચો : Council of Minister : PM મોદી, વિવિધ મંત્રાલયોની 3 વર્ષની કામગીરીનો એજન્ડા તૈયાર કરશે

Next Article