મહારાષ્ટ્રમાં સરકાર બને તે પહેલા મોટા સમાચાર આવ્યા છે. શિવસેનાને એનડીએમાંથી બહાર કરી દેવામાં આવી છે. ભાજપ તરફથી આની ઔપચારિક જાહેરાત કરી પણ દેવામાં આવી છે. શિવસેના એનડીએમાંથી બહાર થઈ જતા હવે તેમના સાંસદો વિરોધ પક્ષમાં બેસશે.
આ પણ વાંચોઃ નિત્યાનંદ આશ્રમમાં અડગંબગડંઃ નિત્યાનંદિતાના મામલે કરણીસેનાના કાર્યકરોનો હોબાળો
મહત્વનું છે કે, મહારાષ્ટ્રમાં મુખ્યપ્રધાન પદને લઈ શિવસેના અને ભાજપ વચ્ચે વિવાદ થયો હતો. અને એનસીપીએ શરત મૂકી હતી કે, શિવસેનાના પ્રધાન કેન્દ્રમાંથી રાજીનામું આપે તો તેઓ તેમને સપોર્ટ કરશે. આ શરતના આધારે શિવસેનાના સાંસદ અરવિંદ સાવંતે કેન્દ્રીય પ્રધાન પદથી રાજીનામું પણ આપી દીધું હતું. જો કે, તે સમયથી ઔપચારિક જાહેરાત નહોતી કરવામાં આવી તેઓ એનડીએમાં નથી. હવે ભાજપે જાહેરાત કરી દીધી છે કે, શિવસેના હવે એનડીએનો ભાગ નથી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો