શંકરસિંહ બાપુએ એનસીપી છોડી, પ્રજા શક્તિ મોરચો રચ્યો. પ્રજાની સમસ્યા માટે લડવાની ફરી કરી વાત

|

Jun 22, 2020 | 12:51 PM

ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ આજે એનસીપી (NCP)માંથી રાજીનામુ આપી દિધુ છે. ગયા વર્ષે જ શંકરસિંહ વાઘેલા એનસીપીમાં જોડાયા હતા અને એનસીપીના  રાષ્ટ્રીય મહામંત્રીપદે નિમણૂંક પામ્યા હતા. એનસીપીમાંથી રાજીનામુ આપ્યા બાદ શંકરસિંહ વાધેલાએ પ્રજા શક્તિ મોરચો રચવાની જાહેરાત કરીને, પ્રજા શક્તિ મોરચા થકી જનતાની વિવિધ સમસ્યાને વાચા આપવાનો સંકેત આપ્યો છે. 2017ની રાજ્યસભાની ચૂંટણી સમયે […]

શંકરસિંહ બાપુએ એનસીપી છોડી, પ્રજા શક્તિ મોરચો રચ્યો. પ્રજાની સમસ્યા માટે લડવાની ફરી કરી વાત
Shankersinh Vaghela resigns from NCP

Follow us on

ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ આજે એનસીપી (NCP)માંથી રાજીનામુ આપી દિધુ છે. ગયા વર્ષે જ શંકરસિંહ વાઘેલા એનસીપીમાં જોડાયા હતા અને એનસીપીના  રાષ્ટ્રીય મહામંત્રીપદે નિમણૂંક પામ્યા હતા. એનસીપીમાંથી રાજીનામુ આપ્યા બાદ શંકરસિંહ વાધેલાએ પ્રજા શક્તિ મોરચો રચવાની જાહેરાત કરીને, પ્રજા શક્તિ મોરચા થકી જનતાની વિવિધ સમસ્યાને વાચા આપવાનો સંકેત આપ્યો છે. 2017ની રાજ્યસભાની ચૂંટણી સમયે શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યુ હતું.

શંકરસિંહ વાધેલાએ રાજકીય કારકિર્દી જનસંઘ-ભાજપથી શરૂ કરી હતી. ત્યાર બાદ પોતાનો પ્રાદેશિક પક્ષ રાષ્ટ્રીય જનતા પાર્ટીના નામે સ્થાપ્યો હતો. ત્યારબાદ કોંગ્રેસમાં જોડાયા હતા અને છેલ્લે નેશનાલીસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP)માં જોડાયા હતા. સૂત્રોનું કહેવુ છે કે ગુજરાતમમાં એનસીપીના પ્રદેશ પ્રમુખપદે જયંત પટેલ (બોસ્કી)ની નિમણૂંક સામે બાપુને વાંધો હતો. જેના કારણે શંકરસિંહ વાઘેલાએ એનસીપીને રામરામ કર્યા.  જુઓ વિડીયો.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

Next Article