મુંબઈમાં 1 અઠવાડિયા સુધી કલમ 144 લાગુ, જાણો સાથે ક્યાં ક્યાં અન્ય પ્રતિબંધ મુકાયા?

|

Mar 02, 2020 | 3:53 PM

દિલ્હીમાં નાગરિકતા કાયદાને લઈને થઈ રહેલો વિરોધ આક્રમક બન્યો હતો અને તેના લીધે ભારે હિંસા ફાટી નીકળી હતી. દિલ્હી જેવી કોઈ ઘટના મુંબઈમાં ના ઘટે અને સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે એક અઠવાડિયા સુધી કલમ 144 લાગુ કરવામાં આવી છે. આમ દિલ્હીના કોઈપણ વિસ્તારમાં 4-5થી વધારે લોકો એકસાથે ભેગા થઈ શકશે નહીં. Facebook પર […]

મુંબઈમાં 1 અઠવાડિયા સુધી કલમ 144 લાગુ, જાણો સાથે ક્યાં ક્યાં અન્ય પ્રતિબંધ મુકાયા?

Follow us on

દિલ્હીમાં નાગરિકતા કાયદાને લઈને થઈ રહેલો વિરોધ આક્રમક બન્યો હતો અને તેના લીધે ભારે હિંસા ફાટી નીકળી હતી. દિલ્હી જેવી કોઈ ઘટના મુંબઈમાં ના ઘટે અને સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે એક અઠવાડિયા સુધી કલમ 144 લાગુ કરવામાં આવી છે. આમ દિલ્હીના કોઈપણ વિસ્તારમાં 4-5થી વધારે લોકો એકસાથે ભેગા થઈ શકશે નહીં.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

 

નાગપાડા, મુંબઈ

આ પણ વાંચો :   કોરોના વાઈરસના લીધે 3000 લોકોના મોત, 88 હજાર લોકો સારવાર હેઠળ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ ઉપરાંત મુંબઈમાં 9 માર્ચ સુધી કોઈપણ પ્રકારના ધરણાં, રેલી, આતિશબાજી કે અન્ય કોઈ આવા કાર્યક્રમના આયોજન પર પ્રતિબંધ લાદી દેવાયો છે. પોલીસે જાણકારી આપી છે કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે આ આદેશ લાગુ કરવામાં આવ્યો છે. મુંબઈમાં પણ નાગરિકતા કાયદાના વિરોધમાં પ્રદર્શન ચાલે છે. જો કે મુંબઈમાં કોઈ હિંસક પ્રદર્શન થયા નથી અને શાંતિપૂર્ણ રહ્યાં છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

એવું માનવામાં આવી રહ્યું છે કે દિલ્હી હિંસા બાદ મુંબઈમાં પણ આવી કોઈ ઘટના ના બને તે માટે આ નિર્ણય પોલીસ દ્વારા લેવામાં આવ્યો છે. એનસીપીના નેતા અજિત પવારે કહ્યું કે લોકોને કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી. આ ઉપરાંત જે લોકો અફવા ફેલાવશે તેની સામે સરકાર કાર્યવાહી કરશે તેવી પણ વાત કરી છે. જો કે મહારાષ્ટ્રની સરકારે વિધાનસભામાં સીએએ-એનપીઆર વિરુદ્ધ પ્રસ્તાવ લાવવાની હાલ કોઈ જરુરિયાત નથી તેવું નિવેદન આપ્યું છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 2:19 pm, Mon, 2 March 20

Next Article