ગૃહમંત્રી રાજનાથ સિંહનો હુંકાર, ‘દેશદ્રોહનો કાયદો ખતમ નહીં વધારે કડક થશે’
દેશમાં લોકસભાની ચૂંટણીને લઈને નેતાઓના નિવેદનો આવી રહ્યાં છે. ભાજપના દિગ્ગજ નેતા તેમજ ગૃહમંત્રી રાજનાથ સિંહે દેશદ્રોહના કાયદાને લઈને ટિપ્પણી કરી છે. શનિવારના રોજ બિહારના જમુઈ અને નવાદામાં રાજનાથ સિંહે સભાનું આયોજન કર્યું હતું. જેમાં રાજનાથ સિંહે દેશદ્રોહના કાયદાને વધારે કડક બનાવવાની વાત કહી હતી જેના લીધે ફરીથી રાજકારણ ગરમાયું છે. રાજનાથ સિંહે કહ્યું કે […]

દેશમાં લોકસભાની ચૂંટણીને લઈને નેતાઓના નિવેદનો આવી રહ્યાં છે. ભાજપના દિગ્ગજ નેતા તેમજ ગૃહમંત્રી રાજનાથ સિંહે દેશદ્રોહના કાયદાને લઈને ટિપ્પણી કરી છે.
શનિવારના રોજ બિહારના જમુઈ અને નવાદામાં રાજનાથ સિંહે સભાનું આયોજન કર્યું હતું. જેમાં રાજનાથ સિંહે દેશદ્રોહના કાયદાને વધારે કડક બનાવવાની વાત કહી હતી જેના લીધે ફરીથી રાજકારણ ગરમાયું છે.
રાજનાથ સિંહે કહ્યું કે કોઈની તાકાત નથી કે મોદી પર આંગળી ઉંચી કરી શકે. કોંગ્રેસના મંત્રીઓએ જેલની હવા પણ ખાધી છે. બિહારમાં મહાગઠબંધનના નેતાઓનો પણ આ જ હાલ છે. તેમણે કહ્યું કે ભારત હવે દૂનિયામાં શીર્ષ સ્થાનોમાં પહોંચી ગયું છે. ભારતમાં અટલજી બાદ મોદી એક જ એવા વડાપ્રધાન જેમણે ભારતને શીર્ષ સ્થાન સુધી પહોંચાડવા માટે કામ કર્યું છે.
તેમણે વધુમાં ઉમેર્યું કોંગ્રેસના નેતાઓ પર ભ્રષ્ટાચારનો આરોપો લાગ્યા છે અને તેમના કેટલાય મંત્રીઓ જેલમાં પણ ગયા છે. રાજનાથ સિંહે દેશદ્રોહના કાયદાને વધારે કડક કરવાની વાત પણ મંચ પરથી કરી હતી.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]