તમિલ સુપરસ્ટાર રજનીકાંતે જમ્મુ-કાશ્મીરમાંથી 370ને દૂર કરવા મુદ્દે કેન્દ્ર સરકારના નિર્ણયનું સમર્થન કર્યું છે. રજનીકાંતે આજના દિવસે પ્રધાનમંત્રી અને ગૃહપ્રધાન અમિત શાહને શુભેચ્છા પાઠવી હતી. તો સાથે મોદી અને શાહને કૃષ્ણ-અર્જુનની જોડી કહ્યા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચોઃ ITની 180 ગાડીઓ દરોડા પાડવા પહોંચી, 55 જગ્યાએ તપાસમાં 700 કરોડની બેનામી સંપત્તિનો ખુલાસો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રજનીકાંતે કાશ્મીર પર સરકારના નિર્ણયને મિશન કાશ્મીર કહ્યું હતું. ઉપરાષ્ટ્રપતિ વેકૈંયા નાયડૂ દ્વારા લેખિત પુસ્તકના લોકાર્પણમાં રજનીકાંતે આ વાત કરી હતી. આ કાર્યક્રમમાં અમિત શાહ અને સુપર સ્ટાર રજનીકાંત પણ હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમ દરમિયાન અમિત શાહે પણ કાશ્મીર મુદ્દે પોતાની વાત રાખતા કહ્યું કે, કાશ્મીરમાંથી આતંકને નેસ્તનાબૂદ કરી દેવામાં આવશે. સાથે વિકાસના ક્ષેત્રમાં પણ કશ્મીર આગળ રહેશે. કાશ્મીરના વિશેષ દરજ્જાથી દેશને કોઈ ફાયદો થતો નહોતો.
[yop_poll id=”1″]