લોકસભા ચૂંટણીનો છઠ્ઠો તબક્કો, જાણો દિગ્ગજો નેતાઓએ મતદાન કર્યા પછી શું કહ્યું?

|

May 12, 2019 | 8:02 AM

લોકસભા ચૂંટણીના પાંચ તબક્કા પૂર્ણ થયા બાદ રવિવારે 7 રાજ્યોની 59 બેઠકો પર છઠ્ઠો તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે. આ ચૂંટણીમાં ઘણાં દિગ્ગજ નેતાઓએ મતદાન કર્યું અને વિવિધ પ્રતિક્રિયાઓ આપી. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મતદાન બાદ કહ્યુ કે આ ચૂંટણી લોકોના મુદ્દાઓ પર લડવામાં આવી છે અને આમા સૌથી વધારે જરૂરી મુદ્દો બેરોજગારી અને […]

લોકસભા ચૂંટણીનો છઠ્ઠો તબક્કો, જાણો દિગ્ગજો નેતાઓએ મતદાન કર્યા પછી શું કહ્યું?

Follow us on

લોકસભા ચૂંટણીના પાંચ તબક્કા પૂર્ણ થયા બાદ રવિવારે 7 રાજ્યોની 59 બેઠકો પર છઠ્ઠો તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે. આ ચૂંટણીમાં ઘણાં દિગ્ગજ નેતાઓએ મતદાન કર્યું અને વિવિધ પ્રતિક્રિયાઓ આપી.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મતદાન બાદ કહ્યુ કે આ ચૂંટણી લોકોના મુદ્દાઓ પર લડવામાં આવી છે અને આમા સૌથી વધારે જરૂરી મુદ્દો બેરોજગારી અને ખેડૂતો છે. વધારેમાં કહ્યુ કે ચૂંટણીમાં અમે પ્રેમ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નફરત ફેલાવી છે તેથી પ્રેમ જીતશે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

TV9 Gujarati

 

મતદાન બાદ પ્રિયંકા ગાંધીએ કહ્યુ કે લોકતંત્રને બચાવવા માટે આ ચૂંટણી ખૂબ જ મહત્વની છે તેને ધ્યાનમાં રાખીને જ મેં મતદાન કર્યું છે સાથી કહ્યું કે આ દેશને બચાવવાની ચૂંટણી છે જેમા ભાજપની હાર નક્કી છે.

આ પણ વાંચો: 1984ના રમખાણ અંગે કરેલા નિવેદનને લઈ ખુદ રાહુલ ગાંધીએ કહ્યું કે માફી માગી લેવી જોઈએ, મારી માતાએ પણ આ મુદ્દે ક્ષમાયાચના કરી લીધી છે

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યુ કે મતદાન માટે જરૂરથી જશો. જેમણે લોકોના કામ કર્યા છે તેમને મત આપજો, નફરત ફેલાવનારા અને દિલ્હીના કામ રોકનારાને મત ન આપતા. તમારો એક મત દેશ બદલી શકે છે.

ભાજપ દિલ્હીના પ્રદેશ પ્રમુખ મનોજ તિવારીએ ટ્વીટ કરીને કહ્યુ કે મતદાન જરૂરથી કરજો તે પછી ભાજપને કરો કે કમળને કે પછી નરેન્દ્ર મોદીને કરો. મારા વડાપ્રધાન તો નરેન્દ્ર મોદી જ હશે.

કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહની સામે ભાજપે સાધ્વી પ્રજ્ઞાને ઉતાર્યા છે. તેમણે પણ લોકોને મત આપીને ભાજપને જીતાડવાની અપીલ કરી છે.

પૂર્વ ક્રિકેટર અને ભાજપના દિલ્હીથી ઉમેદવાર ગૌતમ ગંભીરે પણ લોકોને મતદાન કરવાની અપીલ સાથે કહ્યું કે મેં મતદાન કર્યું હવે તમારો વારો.

આમ ચૂંટણીના છઠ્ઠા તબકકામાં દિગ્ગજોની રાજકીય ભાવિ લોકોના હાથમાં છે અને આજે તેમનું ભાવિ ઈવીએમમાં સીલ થઈ જશે. નેતાઓ પોતાની જીતનો દાવો કરી રહ્યાં છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article