સાધ્વી પ્રજ્ઞા ઠાકુર વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સાધ્વી પ્રજ્ઞાને સંરક્ષણ મંત્રાલયની સંસદીય કમિટીથી હટાવી દેવામાં આવ્ચા છે. સંસદીય કમિટીની બેઠકમાં પણ તેઓ ભાગ લઈ શકશે નહીં. સાધ્વી પ્રજ્ઞાએ લોકસભામાં ગોડસેને દેશભક્ત ગણાવ્યા હતા. આ બાદ તેમની પર કાર્યવાહી કરીશું તેવું ભાજપે કહ્યું હતું. ભાજપે કહ્યું કે આ દેશનું જ અપમાન નથી પણ ભાજપનું પણ અપમાન છે. પીએમ મોદીએ પણ કહ્યું કે હતું કે તેઓ સાધ્વીને ક્યારેય મનથી માફ નહીં કરી શકે. જો કે સાધ્વી સુધર્યા નથી તેઓએ ફરીથી આ ભૂલ કરી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
સાધ્વી પ્રજ્ઞા ઠાકુરના નિવેદન બાદ સંસદમાં પણ ભારે હોબાળો થયો હતો. લોકસભાની કાર્યવાહીમાંથી કોંગ્રેસ પાર્ટીના સાંસદોએ વોકઆઉટ કરી દીધું હતું અને ભારે હોબાળો મચાવ્યો હતો. તો રાહુલ ગાંધીએ પ્રજ્ઞા ઠાકુરને આતંકવાદી ગણાવ્યા હતા.
Terrorist Pragya calls terrorist Godse, a patriot.
A sad day, in the history of
India’s Parliament.— Rahul Gandhi (@RahulGandhi) November 28, 2019
આ પણ વાંચો : 7 વિદેશી નાગરિકોના પેટમાંથી મળી આવી એવી વસ્તુ કે જોઈને હોંશ ઉડી જશે!
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 6:19 am, Thu, 28 November 19