CM Adityanath Yogiના ‘અબ્બા જાન’ વાળા નિવેદન પર રાજકારણ ગરમાયું, સ્મૃતિ ઈરાનીએ કર્યો બચાવ તો અખિલેશે સાધ્યું નિશાન

|

Sep 16, 2021 | 9:33 AM

ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે બુધવારે કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, 'અબ્બા જાન' શબ્દનો ઉપયોગ યોગીજીના સંસ્કાર છે

CM Adityanath Yogiના અબ્બા જાન વાળા નિવેદન પર રાજકારણ ગરમાયું, સ્મૃતિ ઈરાનીએ કર્યો બચાવ તો અખિલેશે સાધ્યું નિશાન
CM Yogi Aditya nath

Follow us on

CM Adityanath Yogi’s Statement ‘Abba Jaan’ : સમાજવાદી પાર્ટી (સપા) ના અધ્યક્ષ અખિલેશ યાદવે (Akhilesh Yadav) બુધવારે કહ્યું કે ‘અબ્બા જાન’ શબ્દનો ઉપયોગ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના સંસ્કારોને દર્શાવે છે. તે જ સમયે, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ યોગીનો બચાવ કર્યો અને કહ્યું કે મુખ્યમંત્રીને બંધારણની હદમાં રહેલા મુદ્દાઓ પર પોતાના વિચારો વ્યક્ત કરવાનો અધિકાર છે અને તેના પર કોઈનું નિયંત્રણ હોવું જોઈએ નહીં. બંને નેતાઓએ અહીં એક ખાનગી ચેનલના કાર્યક્રમમાં આ વાતો કહી હતી.

‘અબ્બા જાન’ શબ્દ વિશે ઘણી ચર્ચા છે જે અખિલેશ અને યોગી વચ્ચે શબ્દોના યુદ્ધનું કારણ બન્યું. કુશીનગરમાં અખિલેશ પર કટાક્ષ કરતા મુખ્યમંત્રીએ ભૂતકાળમાં આ શબ્દનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, ભૂતકાળમાં, લાયક લોકોને મફત રાશન મળતું ન હતું કારણ કે ‘અબ્બા જાન’ કહેવા વાળા લોકો મફત અનાજ પચાવી પાડતા હતા

યોગીના સંસ્કાર – અખિલેશ
ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે બુધવારે કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, ‘અબ્બા જાન’ શબ્દનો ઉપયોગ યોગીજીના સંસ્કાર છે. હું પણ કંઈક કહી શકું છું પરંતુ નેતાજી મુલાયમ સિંહ યાદવે મને સંસ્કાર આપ્યા છે, તેથી હું આવી ભાષાનો ઉપયોગ કરતો નથી. કાર્યક્રમમાં અખિલેશે જે સપાનું વોટ બેન્ક સમીકરણ છે મુસ્લિમ યાદવ (MY) ને બદલ્યો, જેમાં ‘M’ ને બદલે ‘મહિલા’ અને Y ને બદલે ‘યુવા’ ઉમેરવામાં આવે છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

અસદુદ્દીન ઓવૈસીના નેતૃત્વવાળી AIMIM પાર્ટી મુસ્લિમ મત ઘટાડશે કે કેમ તે અંગે પૂછવામાં આવતા અખિલેશે કહ્યું હતું કે, તમે આ બાબતોને આ રીતે કેમ જોઈ રહ્યા છો? અમારા માટે M એટલે સ્ત્રી અને Y એટલે યુવા. મહિલાઓ અને યુવાનો ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીની સરકાર બનાવવામાં મદદ કરશે.

‘ભાજપ રામમંદિરના નામે ચૂંટણી લડવા માંગે છે’
અયોધ્યામાં રામ મંદિરના પ્રશ્ન પર પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે, હવે સુપ્રીમ કોર્ટે પણ પોતાનો ચુકાદો આપી દીધો છે, તેથી કોઈ પણ રામ મંદિર વિરુદ્ધ નથી. હવે રામ મંદિરના નિર્માણ કાર્યને કોઈ રોકી શકે નહીં પરંતુ ભાજપ તેના નામે ચૂંટણી લડવા માંગે છે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર કટાક્ષ કરતા અખિલેશે કહ્યું કે, અમારા મુખ્યમંત્રી કહે છે કે તેઓ ટેબ્લેટ આપશે પરંતુ તેઓ અત્યાર સુધી કઈ ટેબ્લેટ આપ્યા? શું તે તાવની ટેબલેટ આપતા હતા? બીજેપીએ પોતાના ચૂંટણી ઢંઢેરામાં વિદ્યાર્થીઓને લેપટોપ તેમજ એક જીબી ડેટા મફત આપવા જણાવ્યું હતું. તે ડેટા ક્યાં છે? ”

સ્મૃતિ ઈરાનીએ બચાવ કર્યો
જો કે, આ જ કાર્યક્રમના એક સત્રમાં ભાગ લેનાર કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, “જો તમે માનતા હોવ કે મુખ્યમંત્રીને બંધારણની હદમાં તેમના બંધારણીય અધિકારનો ઉપયોગ કરીને કોઈપણ જાતના ભેદભાવ વગર બધા માટે કામ કરવાનો અધિકાર છે.” તો તમે તેને કેમ રોકવા માંગો છો? ”

તેમને પૂછવામાં આવ્યું કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને “અબ્બા જાન” જેવા શબ્દોનો ઉપયોગ કરીને રાજકીય ધ્રુવીકરણ કરવાની જરૂર શા માટે લાગે છે જો રાજ્ય સરકારે આટલું કર્યું હોત.

વીડિયો કોન્ફરન્સ દ્વારા કાર્યક્રમમાં જોડાયેલા કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ કેન્દ્રમાં નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે દેશભરમાં બનેલા 10 કરોડ શૌચાલયોમાંથી બે કરોડ શૌચાલયો એકલા ઉત્તરપ્રદેશમાં બનાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો: SpaceX એ રચ્યો ઇતિહાસ, કંપનીએ 4 સામાન્ય લોકોને મોકલ્યા અંતરિક્ષ યાત્રાએ, નવા યુગની શરૂઆત

આ પણ વાંચો: CPL 2021: સેન્ટ કિટ્સ એન્ડ નેવિસે જીત્યુ ટાઇટલ, ગેઇલ, લુઇસ અને બ્રાવો રહ્યા ફેઇલ, IPL ના નેટ બોલર ડ્રેક્સ રહ્યો ફાઇનલનો સ્ટાર

Next Article