ભાજપના જૂના સાથી છે સિંધિયા પરિવાર, રાજમાતાએ પણ કોંગ્રેસની સરકારને કરી હતી સત્તામાંથી બહાર

|

Oct 05, 2020 | 1:18 PM

મધ્ય પ્રદેશના રાજકારણમાં સિંધિયા પરિવારે જૂના ઈતિહાસનું પુનરાવર્તન કર્યું છે. વર્ષ 1967માં વિજયરાજે સિંધિયાએ કોંગ્રેસ સત્તાથી બહાર થઈ હતી અને હવે તેમના પૌત્ર જ્યોતિરાદિત્ય સિંધિયાને કારણે કમલનાથ સરકાર સંકટમાં આવી છે. વર્ષ 1967માં લોકસભા અને વિધાનસભા ચૂંટણી અગાઉ વિજયરાજેએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યુ હતું. તેમણે વિધાનસભા અને લોકસભા ચૂંટણી એક સ્વતંત્ર ઉમેદવાર તરીકે લડ્યા હતા અને […]

ભાજપના જૂના સાથી છે સિંધિયા પરિવાર, રાજમાતાએ પણ કોંગ્રેસની સરકારને કરી હતી સત્તામાંથી બહાર

Follow us on

મધ્ય પ્રદેશના રાજકારણમાં સિંધિયા પરિવારે જૂના ઈતિહાસનું પુનરાવર્તન કર્યું છે. વર્ષ 1967માં વિજયરાજે સિંધિયાએ કોંગ્રેસ સત્તાથી બહાર થઈ હતી અને હવે તેમના પૌત્ર જ્યોતિરાદિત્ય સિંધિયાને કારણે કમલનાથ સરકાર સંકટમાં આવી છે. વર્ષ 1967માં લોકસભા અને વિધાનસભા ચૂંટણી અગાઉ વિજયરાજેએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યુ હતું. તેમણે વિધાનસભા અને લોકસભા ચૂંટણી એક સ્વતંત્ર ઉમેદવાર તરીકે લડ્યા હતા અને બન્ને ચૂંટણી જીત્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

 

વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને બહુમતિ મળી અને ડીપી મિશ્રા મુખ્યમંત્રી બન્યા. બાદમાં 36 કોંગ્રેસ ધારાસભ્યોએ વિજયરાજેના સમર્થનમાં આવ્યા અને વિપક્ષ સાથે મળી ગયા. ડીપી મિશ્રાને રાજીનામુ આપવાની ફરજ પડી. હાલ જ્યોતિરાદિત્ય જૂથના 20 ધારાસભ્યોએ રાજીનામુ આપી કમલનાથ સરકાર સામે મુશ્કેલીનું સર્જન કરી દીધુ છે. રાજીનામુ સ્વીકાર થતા કમલનાથ સરકાર લઘુમતિમાં આવશે અને ભાજપ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવશે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: અમદાવાદઃ કર્ણાવતી ક્લબની રેસ્ટોરન્ટને 10 હજારનો દંડ, ભોજનમાંથી વંદો નિકળતા મચ્યો હોબાળો

વિજયરાજેના પુત્ર અને જ્યોતિરાદિત્યના પિતા માધવરાવ સિંધિયાનું રાજકારણ પણ જનસંઘથી શરૂ થયું હતું, પરંતુ 1980 માં તેઓ કોંગ્રેસમાં જોડાયા. માધવરાવ સિંધિયા મધ્યપ્રદેશના ગુના મત વિસ્તારમાંથી જન સંઘની ટિકિટ પર 1971 ની સામાન્ય ચૂંટણી લડ્યા અને જીત્યા. 1993માં મધ્યપ્રદેશમાં દિગ્વિજય સિંહની સરકાર હતી ત્યારે માધવરાવ સિંધિયાએ કોંગ્રેસને અલવિદા કરી અને પોતાની પાર્ટી મધ્યપ્રદેશ વિકાસ કોંગ્રેસની રચના કરી હતી. જોકે, બાદમાં તે કોંગ્રેસમાં પાછો ફર્યા હતા.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 11:19 am, Tue, 10 March 20

Next Article