AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતથી 3,84,400 કિલોમીટર દૂર આ સ્થળે એપ્રિલમાં થવાનું છે એવું કંઇક કે જેના બાદ મોદી સહિત આખો દેશ ઉજવશે હોળી-દિવાળી એક સાથે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે વર્ષ 2019ની પ્રથમ મન કી બાત કરી. વડાપ્રધાને પોતાની 52મી મન કી બાતમાં ભારતીય અંતરિક્ષ મિશનનો ખાસ ઉલ્લેખ કર્યો. પીએમ મોદીએ અવકાશ મિશનનો ઉલ્લેખ કરતા કહ્યું, ‘દેશમાં આઝાદી બાદથી 2014 સુધી જેટલા અવકાશ મિશનો થયા છે, લગભગ તેટલા જ અવકાશ અભિયાનની શરુઆત છેલ્લા ચાર વર્ષોમાં થઈ છે. બાળકો માટે આકાશ અને […]

ભારતથી 3,84,400 કિલોમીટર દૂર આ સ્થળે એપ્રિલમાં થવાનું છે એવું કંઇક કે જેના બાદ મોદી સહિત આખો દેશ ઉજવશે હોળી-દિવાળી એક સાથે
Follow Us:
| Updated on: Jan 27, 2019 | 10:33 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે વર્ષ 2019ની પ્રથમ મન કી બાત કરી. વડાપ્રધાને પોતાની 52મી મન કી બાતમાં ભારતીય અંતરિક્ષ મિશનનો ખાસ ઉલ્લેખ કર્યો.

પીએમ મોદીએ અવકાશ મિશનનો ઉલ્લેખ કરતા કહ્યું, ‘દેશમાં આઝાદી બાદથી 2014 સુધી જેટલા અવકાશ મિશનો થયા છે, લગભગ તેટલા જ અવકાશ અભિયાનની શરુઆત છેલ્લા ચાર વર્ષોમાં થઈ છે. બાળકો માટે આકાશ અને સિતારા હંમેશા બહુ આકર્ષક હોય છે. આપણું અંતરિક્ષ અભિયાન બાળકોને મોટું વિચારવા અને તે મર્યાદાઓથી આગળ વધવાની તક આપે છે કે જે અત્યાર સુધી અશક્ય ગણવામાં આવતુ હતું.’

કેટલાક લોકોને વધુ કેમ કરડે છે મચ્છર?
બે વખત બ્રેસ્ટ કેન્સરનો ભોગ બની ચૂકેલી અભિનેત્રી અરુણા ઈરાનીનો આવો છે પરિવાર
Vastu Tips: મંદિરમાંથી બહાર નીકળતી વખતે ઘંટ કેમ ન વગાડવો જોઈએ?
ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુના પરિવાર વિશે જાણો
ખાલી પેટે કડવા લીમડાના પાન ખાવાથી કયા રોગો નિયંત્રિત થાય છે?
3 વખત લગ્ન અને 5 બાળકોના પિતા ડોનાલ્ડ ટ્રમ્પનો આવો છે પરિવાર

વડાપ્રધાને પોતાની 52મી મન કી બાતમાં કહ્યું, ‘આપણે એક જ અંતરિક્ષ યાનથી એક સાથે 104 સેટેલાઇચટ લૉંચ કરવાનો રેકૉર્ડ પણ બનાવ્યો હતો. આપણે ટૂંકમાં જ સેટેલાઇટ ચંદ્રયાન-2 મિશનના માધ્યમથી ચંદ્ર પર ભારતની હાજરી નોંધાવવાના છીએ. આપણો દેશ સ્પેસ ટેક્નોલૉજીનો ઉપયોગ જાન-માલના સંરક્ષણમાં ખૂબીપૂર્વક કરી રહ્યો છે. આપણે સ્પેસ ટેક્નોલૉજીનો ઉપયોગ સરકારી સેવાઓના વિતરણ તથા ઉત્તરદાયિત્વને વધુ શ્રેષ્ઠ કરવા માટે કરી રહ્યા છીએ.

નોંધનીય છે કે ચંદ્રયાન 2 મિશન એપ્રિલ મહિનામાં જ લૉંચ થવાનું છે. ચંદ્રયાન 1 બાદ ચંદ્રયાન 2ને જીએસએલવી માર્ક 3 પ્રક્ષેપણ યાન દ્વારા પ્રક્ષેપિત કરવાનું આયોજન છે. આ મિશનમાં ભારતમાં નિર્મિત એક લૂનર ઑર્બિટર (ચંદ્ર યાન) તથા એક રોવર અને એક લૅંડર સામેલ હશે. આ સૌનો વિકાસ ઇસરો દ્વારા કરાશે.

ઇસરોના જણાવ્યા મુજબ ચંદ્રયાન 2 મિશન વિવિધ નવી ટેક્નોલૉજીના ઉપયોગ તથા પરીક્ષણ સાથે નવા-નવા પ્રયોગ પણ કરશે. પૈડાવાળું રોવર ચંદ્રની સપાટી પર ચાલશે તથા ત્યાં જ વિશ્લેષણ માટે માટી અને ખડકના નમૂનાઓ એકત્ર કરશે. આંકડાઓ ચંદ્રયાન 2 ઑર્બિટરના માધ્યમથી પૃથ્વી પર મોકલવામાં આવશે. માયલાસ્વામી અન્નાદુરાઈના નેતૃત્વમાં ચંદ્રયાન 1 (2008) મિશનને સફળતાપૂર્વક પાર પાડનાર ટીમ ચંદ્રયાન 2 પર પણ કામ કરી રહી છે.

12 નવેમ્બર, 2017ના રોજ ઇસરો અને રશિયન અવકાશ એજન્સી રોસકોસમોસના પ્રતિનિધિઓએ ચંદ્રયાન 2 પ્રોજેક્ટ પર કામ કરવાની સમજૂતી પર સહી કરી હતી. ભારત સરકારે 2008માં તેને મંજૂરી આપી હતી. અવકાશ યાનની ડિઝાઇન ઑગસ્ટ-2009માં પૂર્ણ કરી લેવાઈ કે જેમાં બંને દેશોના વૈજ્ઞાનિકોએ પોતાનો સંયુક્ત ફાળો આપ્યો.

પીએમ મોદીએ રેડિયો પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં અનેક બાબતોનો ઉલ્લેખ કર્યો, પરંતુ તેમની નજર દેશના આ ખાસ 13 કરોડ મતદારો પર હતી, તેવું લાગ્યું.

આ ખાસ 13 કરોડ મતદારોને સાધવાની કવાયત ?

મોદીએ મન કી બાતમાં આગામી લોકસભા ચૂંટણી 2019માં પહેલી વાર વોટ કરનાર મતદારોનો ખાસ ઉલ્લેખ કર્યો. એક અંદાજ પ્રમાણે 2019માં લગભગ 13 કરોડ 30 લાખ નવા મતદારો હશે કે જેઓ પહેલી વાર મતદાન કરશે.

વડાપ્રધાને 18 વર્ષની ઉંમરના થઈ ગયેલા યુવાનોને લોકસભા ચૂંટણી 2019માં મતદાન કરી શકે, તે માટે નોંધણી કરાવવા અને પોતાના મતાધિકારનો પ્રયોગ કરવાનો આગ્રહ કર્યો.

તેમણે કહ્યું, ‘આ વર્ષે આપણા દેશમાં લોકસભા ચૂંટણીઓ થશે અને આવું પહેલી વાર થશે કે જ્યારે વર્ષ 2000 બાદ જન્મેલા યુવાનો મતદાન કરશે. આવા યુવાનો માટે દેશની જવાબદારી પોતાના ખભે લેવાની તક આવી છે. તેઓ હવે દેશની નિર્ણય પ્રક્રિયામાં ભાગીદાર બનવા જઈ રહ્યા છે. હું યુવાઓને પોતાની જાતને મતદાર તરીકે નોંધણી કરાવવાનો આગ્રહ કરુ છું.’

મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ દેશમાં સુનિયોજિત રીતે ચૂંટણીઓ યોજવા બદલ ચૂંટણી પંચના વખાણ કર્યા અને કહ્યું કે દેશના લોકોને તેના પર ગૌરવ છે.

મોદીએ કહ્યું કે મતદાનનો અધિકાર પ્રાપ્ત કરવો જીવનની મહત્વની સિદ્ધિઓમાંનો એક મહત્વનો તબક્કો છે. સાથે-સાથે મતદાન કરવું એ મારું કરત્વય છે – આ ભાવ આપણી અંદર ઉછરવો જોઇએ.

[yop_poll id=846]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

સૌરાષ્ટ્રમાં ધસમસતા પૂરમાં રમકડાની માફક તણાયા વાહનો, જુઓ વીડિયો
સૌરાષ્ટ્રમાં ધસમસતા પૂરમાં રમકડાની માફક તણાયા વાહનો, જુઓ વીડિયો
શેત્રુંજી ડેમના 59 દરવાજા 2 ફૂટ ખોલાયા, નીચાણવાળા 17 ગામને કરાયા એલર્ટ
શેત્રુંજી ડેમના 59 દરવાજા 2 ફૂટ ખોલાયા, નીચાણવાળા 17 ગામને કરાયા એલર્ટ
અમદાવાદ વિમાન દુર્ઘટનાનો વધુ એક વીડિયો સામે આવ્યો
અમદાવાદ વિમાન દુર્ઘટનાનો વધુ એક વીડિયો સામે આવ્યો
સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદના પગલે NDRFની  ટીમ સ્ટેન્ડ બાય રખાઈ
સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદના પગલે NDRFની  ટીમ સ્ટેન્ડ બાય રખાઈ
દક્ષિણ ગુજરાત પર લૉ-પ્રેશર સિસ્ટમ સક્રિય થતા અતિભારે વરસાદની આગાહી
દક્ષિણ ગુજરાત પર લૉ-પ્રેશર સિસ્ટમ સક્રિય થતા અતિભારે વરસાદની આગાહી
પાલીતાણાની નદીઓમાં ઘોડાપૂર, રજાવળ નદીમાં કાર તણાઈ
પાલીતાણાની નદીઓમાં ઘોડાપૂર, રજાવળ નદીમાં કાર તણાઈ
ગુજરાતના 221 તાલુકામાં ખાબક્યો વરસાદ, સૌથી વધુ ગઢડામાં 14 ઈંચ નોંધાયો
ગુજરાતના 221 તાલુકામાં ખાબક્યો વરસાદ, સૌથી વધુ ગઢડામાં 14 ઈંચ નોંધાયો
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા આપી સૂચના
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા આપી સૂચના
ભાવનગરના બુઢાણાથી પાલિતાણાને જોડતો કોઝવે ધોવાયો-
ભાવનગરના બુઢાણાથી પાલિતાણાને જોડતો કોઝવે ધોવાયો-
g clip-path="url(#clip0_868_265)">