Assam Election 2021 : આસામમાં લોકોએ દેખાડયો મતદાનમાં ઉત્સાહ, પ્રથમ તબક્કામાં 72 ટકા મતદાન

|

Mar 27, 2021 | 8:26 PM

આસામમાં વિધાનસભા ચુંટણીના પ્રથમ તબક્કામાં લોકોએ મતદાન માટે ઉત્સાહ દર્શાવ્યો હતો. જેમાં શનિવારે 27 માર્ચના રોજ પ્રથમ તબક્કાની 47 બેઠકો માટેની ચુંટણીમાં  72 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. જેમાં ચાર વાગે સુધીમાં 62.36 ટકા જેટલું જ મતદાન નોંધાયું હતું.

Assam Election 2021 : આસામમાં લોકોએ દેખાડયો મતદાનમાં ઉત્સાહ, પ્રથમ તબક્કામાં 72 ટકા મતદાન
આસામમાં પ્રથમ તબક્કામાં નોંધાયું 72 ટકા મતદાન

Follow us on

આસામમાં વિધાનસભા ચુંટણીના પ્રથમ તબક્કામાં લોકોએ મતદાન માટે ઉત્સાહ દર્શાવ્યો હતો. જેમાં શનિવારે 27 માર્ચના રોજ પ્રથમ તબક્કાની 47 બેઠકો માટેની ચુંટણીમાં  72 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. જેમાં ચાર વાગે સુધીમાં 62.36 ટકા જેટલું જ મતદાન નોંધાયું હતું. જેમાં છેલ્લા કલાકોમાં મતદાન માટે લોકોએ ઉત્સાહ દર્શાવ્યો હતો અને તેના પગલે સાંજે 6 વાગે સુધીમાં મતદાન 72.14 ટકા નોંધાયું હતું.

આસામમાં યોજાયેલા પ્રથમ તબક્કાના મતદાનમાં બપોરે ત્રણ વાગે સુધીમાં 47 ટકા મતદાન નોંધાયું હતું. તેમજ મતદાન માટે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. તેમજ તેના પગલે બપોર બાદના સમયગાળામાં મતદાનની ગતિ વધશે તેવા સંકેત મળી રહ્યાં હતા.

Assamમાં આજે 126 બેઠકોની વિધાનસભાની 47 બેઠકો માટે પ્રથમ તબક્કાનું મતદાન સંપૂર્ણ થયું છે. જેમાં 12 જિલ્લાની 47 બેઠકો પર સવારે સાત વાગેથી સાંજે 6 વાગે સુધી મતદાન થયું હતું. Assam વિધાનસભા ચુંટણીમાં સત્તાધારી પક્ષ ભાજપ અને કોંગ્રેસ- યુડીએફ વચ્ચે સીધો મુકાબલો છે. જેમાં 42 બેઠકો રાજ્યના ઉપરના વિસ્તારની અને બાકી પાંચ બેઠકો મધ્ય આસામની નાગાંવ જિલ્લાની હતી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ દરમ્યાન કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ લોકોને રાજ્યના વિકાસ માટે મત આપવા માટે અપીલ કરી હતી.

આ દરમ્યાન આજે Assam માં મુખ્યમંત્રી સર્વાનંદ સોનેવાલે કહ્યું હતું કે કોંગ્રેસ અને બીજી પાર્ટીઓ માત્ર મીડિયામાં જોવા મળી રહી છે. જયારે ભાજપ અને સહયોગી દળ જમીન પર નજર આવે છે. તેમણે કહ્યું કે આસામના લોકો ઈચ્છે છે કે સીએએ – એનઆરસી પર તેની કોઇ અસર નહિ થાય. મારો ધ્યેય આસામમાં ફરી એક વાર ભાજપની સરકાર બનાવવાનો છે.

પહેલા તબક્કામાં કયા પક્ષ પર નજર
Assam માં પ્રથમ તબક્કામાં જે 47 બેઠકો પર ચુંટણી યોજાઇ હતી તેમા ગત વિધાનસભા ચુંટણીમાં ભાજપ ગઠબંધને કોંગ્રેસનો સફાયો કર્યો હતો. વર્ષ 2016માં વિધાનસભા ચુંટણીમાં ભાજપે 27 બેઠકો અને તેના સહયોગી પક્ષ આસામ ગણ પરિષદે 8 બેઠકો પર કબજો જમાવ્યો હતો. જયારે કોંગ્રેસે 9 બેઠકો પર વિજય મેળવ્યો હતો. જ્યારે એઆઇયુડીએફને બે બેઠક અને અન્યને એક બેઠક મળી હતી. જો કે આ વખતનું સમીકરણ તદન બદલાયું છે.

આસામમાં વિપક્ષો એકજુથ થઈને ચૂંટણી મેદાનમાં

આ વખતે Assam માં વિપક્ષો એકજુથ થઈને ચૂંટણી મેદાનમાં છે. કોંગ્રેસ, ડાબેરીઓ અને એઆઈયુડીએફ મળીને ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે ભાજપે એજેપી સાથે ચૂંટણી લડી રહ્યું છે. પ્રથમ તબક્કામાં સીએએ સામે લોકોનો મહત્તમ ગુસ્સો છે. ત્યારબાદ ચા મજૂરોની દૈનિક વેતન મુખ્ય ચૂંટણીનો મુદ્દો બની છે. આવી સ્થિતિમાં ભાજપ સમક્ષ પડકાર એ છે કે તેના જૂના પરિણામોનું પુનરાવર્તન કરી શકે છે કે પછી કોંગ્રેસ ગઢબંધન એન્ટી ઇન્કમ્બસી લહેરમાં તેનો રાજકીય ફાયદો ઉઠાવશે.

Published On - 8:23 pm, Sat, 27 March 21

Next Article