દેશભરમાં દિગ્ગજ નેતાઓ અને જાણીતી હસ્તીઓ પર આતંકી હુમલાનું ષડયંત્ર રચાયું હોવાની માહિતી સામે આવી છે. એક દસ્તાવેજના આધારે આ માહિતી સામે આવી છે. આતંકીઓના નિશાના પર ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નામ પણ લિસ્ટમાં હોવાની વાત સામે આવી છે. આ સમગ્ર હુમલાનો માસ્ટર માઈન્ડ લશ્કર-એ-તૈયબા છે. અને તેના દ્વારા ભારતમાં એક મોટો હુમલો કરવાનું ષડયંત્ર રચાયું છે. આ લિસ્ટમાં અન્ય ઘણા નેતાઓ અને જાણીતી હસ્તીઓના નામ પણ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
લશ્કર-એ-તૈયબાએ એક હિટલિસ્ટ તૈયાર કરીને NIAને મોકલી છે. જેના હિસાબે ગૃહપ્રધાન અમિત શાહ, મોહન ભાગવત, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે.પી નડ્ડા, રાજનાથ સિંહ, કાશ્મીરના ગવર્નર સત્યપાલ મલિક, ભાજપના મહાસચિવ રામ માધવ, નાણાપ્રધાન નિર્મલા સિતારમણ, લાલ કૃષ્ણ અડવાણીનું પણ નામ છે.
આ યાદી હાથમાં આવ્યા બાદ દેશની તમામ સુરક્ષા એજન્સી સતર્ક બની ગઈ છે. અને નેતાઓની સુરક્ષમાં પણ જરૂરી ફેરફાર કરી શકે છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 6:01 am, Tue, 29 October 19