પી.ચિદમ્બરમની પહેલા તેમના પુત્ર પણ તિહાડ જેલમાં રહીને આવ્યા છે, જાણો જેલમાં પૂર્વ નાણામંત્રી સાથે કેવા પ્રકારનો વ્યવહાર કરવામાં આવશે

|

Sep 06, 2019 | 2:28 AM

પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમની સાથે તિહાડ જેલમાં સામાન્ય કેદીની જેમ વ્યવહાર કરવામાં આવશે. તેમને જેલ નંબર-7માં રાખવામાં આવશે. જે આર્થિક ગુનાઓ માટે છે. ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમને પણ આ જેલમાં પહેલા રાખવામાં આવ્યો હતો. મની લોન્ડ્રિંગથી જોડાયેલા એક મામલે કાર્તિ ચિદમ્બરમને 23 દિવસ જેલ નંબર-7માં રાખવામાં આવ્યો હતો. કોર્ટે પૂર્વ નાણામંત્રીને તેમની દવાઓ સાથે લઈ જવાની […]

પી.ચિદમ્બરમની પહેલા તેમના પુત્ર પણ તિહાડ જેલમાં રહીને આવ્યા છે, જાણો જેલમાં પૂર્વ નાણામંત્રી સાથે કેવા પ્રકારનો વ્યવહાર કરવામાં આવશે

Follow us on

પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમની સાથે તિહાડ જેલમાં સામાન્ય કેદીની જેમ વ્યવહાર કરવામાં આવશે. તેમને જેલ નંબર-7માં રાખવામાં આવશે. જે આર્થિક ગુનાઓ માટે છે. ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમને પણ આ જેલમાં પહેલા રાખવામાં આવ્યો હતો. મની લોન્ડ્રિંગથી જોડાયેલા એક મામલે કાર્તિ ચિદમ્બરમને 23 દિવસ જેલ નંબર-7માં રાખવામાં આવ્યો હતો.

કોર્ટે પૂર્વ નાણામંત્રીને તેમની દવાઓ સાથે લઈ જવાની પરવાનગી આપી છે. ચિદમ્બરમને Z સુરક્ષા મળી છે. તેથી કોર્ટે તેમને એક અલગ સેલમાં રાખવાની પરવાનગી આપી છે. જેમાં સુરક્ષા માટે જરૂરી વ્યવસ્થા હોય. કોર્ટે INX મીડિયા મામલે ચિદમ્બરમને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

કોંગ્રેસના વરિષ્ઠ નેતાને તિહાડ જેલમાં 19 સપ્ટેમ્બર સુધી રાખવામાં આવશે. ચિદમ્બરમની ગયા મહિને CBIએ ધરપક્ડ કરી હતી અને તેમની પૂછતાછ કરી હતી. તિહાડની જેલ નંબર 7માં લગભગ 600થી 700ની વચ્ચે કેદી બંધ છે. જેમાં સૌથી વધારે મહિલાઓથી જોડાયેલા ગુનાઓમાં બંધ છે. જેલ નંબર 7માં હંમેશા આર્થિક ગોટાળાથી જોડાયેલા કેદીઓને જ બંધ કરવાની પરંપરા લાંબા સમયથી ચાલી આવી રહી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જેલ નંબર 7માં પહોંચેલા કેદીઓને જમીન પર ઊંઘવા માટેની વ્યવસ્થા હોય છે. જેલ તરફથી 3-4 ધાબળા આપવામાં આવે છે. પી.ચિદમ્બરમની ઉંમર 60 વર્ષથી વધારે છે, તેથી જેલની માર્ગદર્શિકા મુજબ તેમને ઊંઘવા માટે લાકડાનું પાટિયુ આપવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 2:27 am, Fri, 6 September 19

Next Article