અસદુદ્દીન ઓવૈસીએ ઇમરાન અને મસૂદ વિશે એવું વિસ્ફોટક નિવેદન આપ્યું કે ભારતમાં રહી પાકિસ્તાનની ભાષા બોલનારાઓને પોતાની જાત પર શરમ આવશે

|

Feb 25, 2019 | 4:56 AM

પુલવામા આતંકી હુમલા બાદ ભારતમાં રહીને અનેક લોકોએ એવા નિવેદનો આપ્યા કે જેમાં પાકિસ્તાની ભાષાની દુર્ગંધ આવતી હતી. TV9 Gujarati   Web Stories View more Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું રસોડાના ફ્લોર પર પડેલા […]

અસદુદ્દીન ઓવૈસીએ ઇમરાન અને મસૂદ વિશે એવું વિસ્ફોટક નિવેદન આપ્યું  કે ભારતમાં રહી પાકિસ્તાનની ભાષા બોલનારાઓને પોતાની જાત પર શરમ આવશે

Follow us on

પુલવામા આતંકી હુમલા બાદ ભારતમાં રહીને અનેક લોકોએ એવા નિવેદનો આપ્યા કે જેમાં પાકિસ્તાની ભાષાની દુર્ગંધ આવતી હતી.

TV9 Gujarati

 

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

આવા તથાકથિત દેશદ્રોહીની આંખો ઉઘાડી દે, તેવું નિવેદન કટ્ટર મુસ્લિમ નેતા ગણાતા અસદુદ્દીન ઓવૈસીએ આપ્યું છે. મુંબઈના શિવાજી પાર્કમાં યોજાયેલી એક રેલીમાં AIMIMના નેતા ઓવૈસીએ પુલવામા આતંકી હુમલા માટે પાકિસ્તાન, ઇમરાન ખાન, જૈશ એ મોહમ્મદ અને તેના ચીફ મસૂદ અઝહરનો રીતસરનો ઉધડો લઈ નાખ્યો.

ઓવૈસીએ કહ્યું, ‘હું પાકિસ્તાનના વડાપ્રધાનને કહેવા માંગુ છું કે તેઓ ટીવી કૅમેરા સામે બેસી ભારતને સંદેશ ન આપે. આપે આ શરુ કર્યું અને આ પહેલો હુમલો નથી. આ પહેલા પઠાનકોટમાં અને પછી ઉરીમાં હુમલા થઈ ચુક્યા છે.’ ઓવૈસીએ ઇમરાન ખાનને ચેતવણી આપતા કહ્યું, ‘ઇમરાન ખાન, પોતાના ચહેરા પરથી માસૂમિયત-શરાફતનો મુખવટો ઉતારી દો.’ જૈશ એ મોહમ્મદ અને મસૂદ અઝહર પર નિશાન સાધતાં ઓવૈસીએ કહ્યું, ‘મસૂદ અઝહર મૌલાના નહીં, શેતાનનો બચ્ચો છે. મોહમ્મદનો સૈનિક કોઈ વ્યક્તિની હત્યા નથી કરતો, તે માનવતા પ્રત્યે દયાળુ છે. તમે જૈશ એ શેતાન, જૈશ એ ઇબલીસ છો. મસૂદ અઝહર, તમે મૌલાના નથી, તમે શેતાનના ચેલા છો. આ લશ્કર એ તૈયબા નહીં, આ લશ્કર એ શૈતાન છે.’

અસદુદ્દીન ઓવૈસી આટલેથી ન અટક્યાં. તેમણે કહ્યું, ‘ચોક્સસ અમારા દેશમાં અમારી વચ્ચે મતભેદો છે, પણ જ્યારે વતનની વાત આવશે, ત્યારે અમે સૌ એક થઈ જઇશું. પાકિસ્તાનના પીએમ આ વાતને યાદ રાખો કે અમે ઝીણાને ઠુકરાવ્યા હતાં. હિન્દુસ્તાનના પીએમને ગુઝારિશ છે, આપ આ વિચારો કે 200 કિલો આરડીએક્સ દેશમાં કેવી રીતે આવ્યું અને તેના માટે કોણ લોકો જવાબદાર છે. હું રાષ્ટ્રવાદી છું, કારણ કે મને આંબેડકરે આ અધિકાર આપ્યો છે.’

[yop_poll id=1776]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article