AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nitish Kumarનો કટાક્ષ, બિહાર ચૂંટણીમાં ખબર જ ના પડી કે કોણ કોની સાથે હતું

બિહારના મુખ્યમંત્રી Nitish Kumarએ  વિધાનસભા ચૂંટણી 2020માં  તેમના પક્ષને ઓછી બેઠક મળવાને લઈને ટીપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે એનડીએમાં આ બધી બાબતો પાંચ છ માસ પૂર્વે નક્કી થવું જોઈતી હતી.

Nitish Kumarનો કટાક્ષ, બિહાર ચૂંટણીમાં ખબર જ ના પડી કે કોણ કોની સાથે હતું
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Jan 10, 2021 | 8:06 PM
Share

બિહારના મુખ્યમંત્રી Nitish Kumarએ  વિધાનસભા ચૂંટણી 2020માં  તેમના પક્ષને ઓછી બેઠક મળવાને લઈને ટીપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે એનડીએમાં આ બધી બાબતો પાંચ છ માસ પૂર્વે નક્કી થવું જોઈતી હતી. પરંતુ કોરોનાના કારણે સમય ઓછો મળ્યો હતો. આટલા ઓછા સમયમાં ખબર ના પડી કે કોણ સાથે હતું અને કોણ ન હતું.

Nitish Kumarએ  શનિવારથી શરૂ થયેલી પાર્ટીની  બે દિવસીય રાજય પરિષદને સંબોધિત કરતાં કહ્યું કે ચૂંટણી પ્રચારના સમયે સાંજે જ્યારે પાર્ટી ઓફિસ પર પરત ફરતા હતા, ત્યારે આશંકા પેદા થતી હતી. તેમણે કહ્યું કે વર્ષ 2019માં પાર્ટીની સભ્યતા ઝુંબેશ ચાલી હતી.  બુથસ્તર સુધી કમિટી બની, ટ્રેનિંગ આપવામાં આવી, તમામને બોલાવી બોલાવીને અમે મળ્યા. પરંતુ ફેબ્રુઆરી માસમાં અમે બેઠક કરી તો અમને શંકા ઊભી થઈ હતી. અમે એટલું કામ કર્યું પાર્ટીના સાથીઓ જાણે છે. પરંતુ આ તમામ બાબતો નીચે સુધી  પહોંચી નથી. 11 મુસ્લિમોને ટિકિટ આપવામાં આવી છે. એટલી જ મહિલાઓને પણ ટિકિટ આપવામાં આવી છે. પરંતુ તેમ છતાં તેની અસર નીચે સુધીના પહોંચી.

નીતિશ કુમારે કહ્યું કે જ્યારે પક્ષના ઓછા લોકો જીત્યા ત્યારે સીએમ બનવાની ઈચ્છા ન હતી. પરંતુ પક્ષ અને ભાજપના પગલે સીએમ બન્યો. જ્યારે અમે સરકારમાં હતા ત્યારે સતત કામ કરતાં હતા કોઈ અપરાધીને બચાવ્યાં નથી. તેમણે સંકેત આપ્યા કે વર્ષ 2015માં ભંગ કરવામાં આવેલી કમિટીઓને ફરી પુનગઠિત કરવામાં આવશે અને તેમાં કાર્યકર્તાઓએ સ્થાન આપવામાં આવશે. નીતિશ કુમારે બિહાર વિધાનસભા ચૂંટણીમાં પરાજિત થયેલા જદયુ નેતાઓના ચૂંટણી પરિણામની ભૂલને ધ્યાનમાં રાખીને કામ શરૂ કરવા અપીલ કરી હતી. તમારા વિસ્તારની સેવા એવી રીતે કરો કે તમે ચૂંટણી જીત્યા હોવ, સરકાર પૂરા પાંચ વર્ષ ચાલશે. સમાજના દરેક વર્ગના લોકોને મળો અને તેમના વિકાસ માટે કામ કરો. આગામી સમયમાં આપણે વધારે મજબૂત થઈને આગળ આવીશું.

આ પણ વાંચો: JOB: ભારતીય વાયુસેનામાં એરમેનની ભરતી માટે જગ્યા ખાલી, જાણો વધુ વિગતો

Follow Us
₹18,518 કરોડનું બજેટ પણ કામગીરી 'ઝીરો', અમદાવાદીઓના હાલ 'બેહાલ' થયા
₹18,518 કરોડનું બજેટ પણ કામગીરી 'ઝીરો', અમદાવાદીઓના હાલ 'બેહાલ' થયા
ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિમાં 5,500થી વધુ લોકોનું 'રેસ્ક્યુ'
ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિમાં 5,500થી વધુ લોકોનું 'રેસ્ક્યુ'
આકાશી આફત સામે એક્શન મોડમાં AMC, 79 સ્થળોએથી પાણી ઓસર્યા
આકાશી આફત સામે એક્શન મોડમાં AMC, 79 સ્થળોએથી પાણી ઓસર્યા
સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ વરસાવ્યુ હેત, સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ વરસાવ્યુ હેત, સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
શ્રીનંદનગરમાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા લોકોના વાહનો ડૂૂબ્યા- Video
શ્રીનંદનગરમાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા લોકોના વાહનો ડૂૂબ્યા- Video
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
ગોધરામાં નવનિર્મિત અંડરબ્રિજ પાણીમાં થયો ગરકાવ, બ્રિજે લીધી જળ સમાધિ
ગોધરામાં નવનિર્મિત અંડરબ્રિજ પાણીમાં થયો ગરકાવ, બ્રિજે લીધી જળ સમાધિ
g clip-path="url(#clip0_868_265)">