નરોત્તમ મિશ્રાએ મમતા બેનર્જી અને મુખ્તાર અંસારી પર કર્યો કટાક્ષ, કહ્યું – દેશમાં બે વ્હીલચેર પ્રખ્યાત છે

|

Apr 08, 2021 | 3:40 PM

નરોત્તમ મિશ્રા પશ્ચિમ બંગાળમાં ભાજપના પ્રચાર માટે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે મમતા બેનર્જી અને ટીએમસી પર જોરદાર હુમલો કર્યો હતો.

નરોત્તમ મિશ્રાએ મમતા બેનર્જી અને મુખ્તાર અંસારી પર કર્યો કટાક્ષ, કહ્યું - દેશમાં બે વ્હીલચેર પ્રખ્યાત છે
નરોત્તમ મિશ્રાએ કર્યો મમતા પર કટાક્ષ

Follow us on

મધ્ય પ્રદેશના પ્રધાન નરોત્તમ મિશ્રાએ બહુજન સમાજવાદી પાર્ટીના નેતા મુખ્તાર અંસારી અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને લઈને નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે દેશમાં બે વ્હીલચેર્સ પ્રખ્યાત થઈ છે અને માત્ર બે જ લોકો વ્હીલચેર પર છે. એક હારના ડરના કારણે અને બીજું મારના ડરના કારણે. તમને જણાવી દઈએ કે નરોત્તમ મિશ્રા પશ્ચિમ બંગાળમાં ભાજપના પ્રચાર માટે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે મમતા બેનર્જી અને ટીએમસી પર જોરદાર હુમલો કર્યો.

એક હારના ડરથી વ્હીલચેર પર છે અને બીજું મારના ડરથી

નરોત્તમ મિશ્રાએ કહ્યું, “બે વ્હીલચેર ખૂબ પ્રખ્યાત છે, એક ઉત્તર પ્રદેશથી બાંદામાં પહોંચી ગયો, અને એક વ્હીલચેર પણ અહીં (પશ્ચિમ બંગાળ) છે. એક હારના ડરથી વ્હીલચેર પર છે અને બીજું વ્યક્તિ મારના ડરથી વ્હીલચેર પર છે. આ સમયે વ્હીલચેર ખૂબ જ વિચિત્ર હાલતમાં છે.”

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

મમતા અને મુખ્તાર અંસારી વ્હીલચેર પર જોવા મળ્યા હતા

જણાવી દઈએ કે મુખ્તારને અંસારી 7 એપ્રિલે સવારે 4:30 વાગ્યે યુપીની બાંદા જેલમાં પંજાબથી લઇ જવામાં આવ્યો હતો. આ સમય દરમિયાન, મુખ્તાર અંસારી તાજેતરમાં જ વ્હીલચેર પર બેસેલો જોવા મળ્યો હતો. જ્યારે તેને કોર્ટમાં હાજર થવા લઇ જવામાં આવી રહ્યો હતો. જો કે, આ અંગે માહિતી આપતાં અધિકારીઓએ જણાવ્યું હતું કે, મુખ્તાર અંસારી બંદા જેલમાં પહોંચ્યા બાદ બેરેક સુધી પગેથી ચાલતો ગયો હતો. તે જ સમયે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને નંદીગ્રામમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પગમાં ઈજા થઈ હતી. ઈજા બાદ મમતા બેનર્જી 3-4 દિવસ હોસ્પિટલમાં રોકાયા હતા, પરંતુ જ્યારે તે ચૂંટણી પ્રચાર માટે બહાર આવ્યા હતા. અને ત્યાર બાદ તે વ્હીલચેર પર રહીને પ્રચાર કરી રહ્યા છે.

 

આ પણ વાંચો: હાઈકોર્ટની કેન્દ્ર અને ચૂંટણી પંચને ફટકાર: વગર માસ્કે થતા ચૂંટણી પ્રચાર પર હાઈકોર્ટે મોકલી નોટીસ

આ પણ વાંચો: મુસ્લિમ મતદારોને અપીલ કરવા બદલ ચૂંટણી પંચે મમતા બેનર્જીને મોકલી નોટિસ, 48 કલાકમાં જવાબ આપવા કહ્યું

Next Article