દેશમાં કોરોનાની સ્થિતિને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વિવિધ રાજ્યોના મુખ્યપ્રધાન, કેન્દ્ર શાસિત પ્રદેશના પ્રતિનિધિઓ સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજશે. આ બેઠકમાં કોરોનાની રસીના વિતરણ અંગે પણ ચર્ચા કરીને કોઈ રણનીતિ તૈયાર કરવામાં આવશે તેમ મનાઈ રહ્યું છે. કોરોનાની સ્થિતિને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અત્યાર સુધીમાં વિડીયો કોન્ફરન્સથી રાજ્યો સાથે અનેક બેઠક યોજી છે.
કોરોનાની રસી બનાવનાર પાંચ પૈકી ચાર કંપનીની રસી ક્લિનિકલ ટેસ્ટના બીજા અથવા ત્રીજા તબક્કામાં છે. જેના કારણે તેના વિતરણ અંગે આજની બેઠકમાં ચર્ચા થઈ શકે છે. જે રાજ્યોમાં કોરોનાના કેસ વધુ છે તેવા રાજ્યો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજી અલગથી બેઠક યોજી શકે છે. ગુજરાત, મહારાષ્ટ્ર અને દિલ્લીમાં કોરોનાના કેસ અન્ય રાજ્યોની સરખામણીએ વધુ છે. હાલમાં દેશમાં કોરોનાના કેસની સંખ્યા 50,000ની નીચે નોંધાઈ રહી છે. પરંતુ કેટલાક રાજ્યોમાં વધતા કેસને કારણે કેન્દ્ર સરકારની ચિંતા વધી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો