તો શું આ કાયદાની આંટીઘૂંટીને લીધે ગુજરાતમાં લાગશે રાષ્ટ્રપતિ શાસન? જાણો કેન્દ્રનો જવાબ

|

Jan 07, 2020 | 10:04 AM

કેન્દ્રની મોદી સરકારે મોટર વ્હીકલ એક્ટમાં સુધારો કર્યો છે અને કાયદાને વધારે કડક બનાવ્યો છે. જો કે અમુક રાજ્યોમાં આ કાયદાના પ્રાવધાનો અવગણનીને કાર્યકરી આદેશ જારી રહ્યાં છે. જેના લીધે રાજ્યો કેન્દ્રના નિયમમાં ફેરફાર કરીને દંડની રકમ અને કડક નિયમો પર અંકુશ મુકી દે છે. આવી રીતે કાયદામાં ફેરફાર કરવામાં ગુજરાત, મણિપુર, કર્ણાટક અને ઉત્તરાખંડનો […]

તો શું આ કાયદાની આંટીઘૂંટીને લીધે ગુજરાતમાં લાગશે રાષ્ટ્રપતિ શાસન? જાણો કેન્દ્રનો જવાબ

Follow us on

કેન્દ્રની મોદી સરકારે મોટર વ્હીકલ એક્ટમાં સુધારો કર્યો છે અને કાયદાને વધારે કડક બનાવ્યો છે. જો કે અમુક રાજ્યોમાં આ કાયદાના પ્રાવધાનો અવગણનીને કાર્યકરી આદેશ જારી રહ્યાં છે. જેના લીધે રાજ્યો કેન્દ્રના નિયમમાં ફેરફાર કરીને દંડની રકમ અને કડક નિયમો પર અંકુશ મુકી દે છે. આવી રીતે કાયદામાં ફેરફાર કરવામાં ગુજરાત, મણિપુર, કર્ણાટક અને ઉત્તરાખંડનો સમાવેશ થાય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

 

આ પણ વાંચો :  નોકરીયાત વર્ગ માટે એક સમાચાર, PF પર મળતા વ્યાજદરમાં થઈ શકે છે આટલો ઘટાડો

ગુજરાતમાં વિજય રુપાણી સરકારે હેલ્મેટને લઈને અમુક છૂટછાટ આપી છે. જેને લઈને સેફ્ટી ઓથોરિટીએ સવાલ પણ ઉઠાવ્યો હતો. જો કે એવું કહેવામાં આવી રહ્યું છે કે રુપાણી સરકાર આ મુદે કેન્દ્રની સામે લડી લેવા માટે તૈયાર છે. હેલ્મેટ અને મોટા દંડને લઈને લોકોમાં પણ બે મત પ્રવર્તી રહ્યાં છે. અમુક લોકો આ દંડનો વિરોધ કરતાં પણ જોવા મળે છે તો અમુક આ કાયદાને સુરક્ષા સાથે જોડીને આવકારી રહ્યાં છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ન્યૂઝ એજન્સી પીટીઆઈ મુજબ મંત્રાલયે કહ્યું કે અટોર્ની જનરલનું માનવું છે કે મોટર વ્હીકલ અધિનિયમને 2019માં સંશોધિત કરવામાં આવ્યો છે. આ એક સંસદીય કાયદો છે અને કોઈપણ રાજ્ય સરકાર આ કાયદામાં દંડની રકમ ઘટાડવા માટે કાર્યકારી આદેશ જારી કરી શકે નહીં જ્યાં સુધી તે સંબધિત કાયદા પર રાષ્ટ્રપતિની સહમતિ પ્રાપ્ત ના કરી લે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

દેશના સંવિધાનમાં એવું પ્રાવધાન છે અને કેન્દ્રને અનુચ્છેદ 356 મુજબ અધિકાર આપવામાં આવ્યો છે કે જો કોઈ રાજ્ય સરકાર સંવિધાનના કાયદા મુજબ કામ ન કરે તો રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી શકાય. આમ કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને આ અંગે ચેતવણી આપી હોય તેવી જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. જો કે રાજ્ય સરકાર આ અંગે કોઈ જ પ્રતિક્રિયા આપી નથી.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 9:59 am, Tue, 7 January 20

Next Article