બુબા-બબુઆએ રાંધી લીધી રાજકીય ખિચડી, હાથનો છોડ્યો હાથ, બાકીનાને આપ્યું ચિલ્લર !

ઉત્તર પ્રદેશમાં બીએસપી અને એસપીએ લોકસભા ચૂંટણી 2019માં ગઠબંધન કરી લીધું છે. બીએસપી સુપ્રીમો માયાવતી અને એસપી પ્રમુખ અખિલેશ યાદવે શનિવારે લખનઉમાં એક સંયુક્ત પ્રેસ કૉન્ફરન્સ કરી અને લોકસભા ચૂંટણી 2019 સાથે મળીને લડવાની જાહેરાત કરી. ગઠબંધન અંગે થયેલી સમજૂતી મુજબ ઉત્તર પ્રદેશની 80 લોકસભા બેઠકોમાંથી બીએસપી અને એસપી 38-38 બેઠકો પર ચૂંટણી લડશે, જ્યારે […]

બુબા-બબુઆએ રાંધી લીધી રાજકીય ખિચડી, હાથનો છોડ્યો હાથ, બાકીનાને આપ્યું ચિલ્લર !
Follow Us:
| Updated on: Jan 12, 2019 | 7:46 AM

ઉત્તર પ્રદેશમાં બીએસપી અને એસપીએ લોકસભા ચૂંટણી 2019માં ગઠબંધન કરી લીધું છે.

લખનઉમાં પ્રેસ કૉન્ફરન્સને સંબોધિત કરતાં માયાવતી અને અખિલેશ.

લખનઉમાં પ્રેસ કૉન્ફરન્સને સંબોધિત કરતાં માયાવતી અને અખિલેશ.

બીએસપી સુપ્રીમો માયાવતી અને એસપી પ્રમુખ અખિલેશ યાદવે શનિવારે લખનઉમાં એક સંયુક્ત પ્રેસ કૉન્ફરન્સ કરી અને લોકસભા ચૂંટણી 2019 સાથે મળીને લડવાની જાહેરાત કરી.

ગઠબંધન અંગે થયેલી સમજૂતી મુજબ ઉત્તર પ્રદેશની 80 લોકસભા બેઠકોમાંથી બીએસપી અને એસપી 38-38 બેઠકો પર ચૂંટણી લડશે, જ્યારે રાહુલ ગાંધીની અમેઠી અને સોનિયા ગાંધીની રાયબરેલી બેઠક પર એસપી-બીએસપી તરફથી કોઈ ઉમેદવાર ઉતારવામાં નહીં આવે. આ બંને બેઠછકો કૉંગ્રેસ માટે છોડી દેવામાં આવી છે. આ ઉપરાંત એસપી-બીએસપીએ ગઠબંધનમાં સામેલ અજિત સિંહના પક્ષ આરએલડી માટે માત્ર 2 બેઠકો છોડી છે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

કર્ણાટકમાં એચચડી કુમારસ્વામીના શપથ ગ્રહણ સમારંભમાં જોવા મળેલી વિપક્ષી એકતાની તસવીર

કર્ણાટકમાં એચચડી કુમારસ્વામીના શપથ ગ્રહણ સમારંભમાં જોવા મળેલી વિપક્ષી એકતાની તસવીર

આ સાથે જ યૂપીમાં ભાજપ વિરુદ્ધ મહાગઠબંધનની કવાયત પર શંકા અને સંકટના વાદળો ઘેરાઈ ગયાં છે, કારણ કે એસપી-બીએસપીએ યૂપીમાં લગભગ એકલા હાથે ચૂંટણી લડવાનો જે રીતે નિર્ણય કર્યો છે, તેનાથી કૉંગ્રેસ રાજી નહીં થાય અને આરએલડી કે જે 6 બેઠકો માંગી રહ્યુ હતું, તે પણ કદાચ ગઠબંધનનો ભાગ નહીં રહે.

પ્રેસ કૉન્ફરન્સને સંબોધિત કરતાં માયાવતીએ તો કૉંગ્રેસની રીતસરની સરાજાહેર ટીકા કરી અને કહ્યું કે કૉંગ્રેસને સાથ રાખવાથી કોઈ ફાયદો નથી થતો. તેમણે આરોપ લગાવ્યો કે કૉંગ્રેસના રાજમાં વધુ કૌભાંડો થાય છે.

શું બોલ્યા માયાવતી ?

એસપી-બીએસપીનું આ ગઠબંધન લાંબુ ચાલશે. યૂપી વિધાનસભા ચૂંટણી સુધી આ ગઠબંધન ચાલુ રહેશે.

એસપી0બીએસપી બંને મળીને ભાજપના અત્યાચારોનો મુકાબલો કરશે. ભાજપે યૂપીને જાતિ પ્રદેશ બનાવી દિધો.

જો ભાજપે અગાઉની જેમ ઈવીએમમાં ગરબડ ન કરી અને રામ મંદિર જેવા ધાર્મિક મુદ્દાઓ ન ભડકાવ્યાં, તો બીજેપી એન્ડ કંપનીને અમે ચોક્કસ સત્તામાં આવતા રોકીશું.

કૉંગ્રેસ અને ભાજપ બંનેની એક જ નીતિ, કૉંગ્રેસે દેશમાં ઇમર્જન્સી લગાવી, બોફોર્સમાં કૉંગ્રેસની સરાર ગઈ, રાફેલમાં ભાજપની સરકાર જશે.

કૉંગ્રેસના શાસનમાં સૌથી વધુ કૌભાંડો થયા. કૉંગ્રેસની સાથે લડવાથી અમને કોઈ ફાયદો નથી મળતો.

શું બોલ્યા અખિલેશ ?

એસપીના તમામ કાર્યકરો સમજી લે કે માયાવતીજીનું અપમાન મારું અપમાન છે. ભારત માતાનો કોઈ પણ દિકરો જો આવું કરે છે, તો તે ખોટું છે.

ઈજાગ્રસ્ત લોકોના ઇલાજથી પહેલા આજે તેમની જાતિ પૂછવામાં આવી રહી છે, ધર્મના નામે ભાજપ સમાજમાં નફરત વધારી રહ્યો છે.

ભાજપ સરકારમાં નિર્દોષ લોકોના એન્કાઉન્ટર થઈ રહ્યાં છે.

[yop_poll id=567]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
g clip-path="url(#clip0_868_265)">