માણાવદરમાં સરકારી બાકડાની ગેરકાયદે હેરફેર મુદ્દે કેબિનેટ પ્રધાન જવાહર ચાવડાના પોલીસ પર ગંભીર આરોપ

|

Nov 08, 2020 | 7:37 PM

માણાવદરમાં સરકારી બાકડાની ગેરકાયદે હેરફેર મુદ્દે જવાહર ચાવડાએ પોલીસ વિભાગ પર ગંભીર આરોપો લગાવ્યા છે. કેબિનેટ પ્રધાન જવાહર ચાવડાએ આક્ષેપ લગાવ્યો છે કે ભાજપના કાર્યકરોએ સરકારી બાકડાની ચાલતી હેરફેરનો પર્દાફાશ કર્યા બાદ પણ કાર્યવાહી ન કરી. સાથે જ પોલીસ અધિકારી સાથે તેઓએ ટેલિફોનીક વાત કરી હોવાછતા સરકારી સંપત્તિની ચોરી મુદ્દે પોલીસે બેદરકારી દર્શાવી હતી. મહત્વપૂર્ણ […]

માણાવદરમાં સરકારી બાકડાની ગેરકાયદે હેરફેર મુદ્દે કેબિનેટ પ્રધાન જવાહર ચાવડાના પોલીસ પર ગંભીર આરોપ

Follow us on

માણાવદરમાં સરકારી બાકડાની ગેરકાયદે હેરફેર મુદ્દે જવાહર ચાવડાએ પોલીસ વિભાગ પર ગંભીર આરોપો લગાવ્યા છે. કેબિનેટ પ્રધાન જવાહર ચાવડાએ આક્ષેપ લગાવ્યો છે કે ભાજપના કાર્યકરોએ સરકારી બાકડાની ચાલતી હેરફેરનો પર્દાફાશ કર્યા બાદ પણ કાર્યવાહી ન કરી. સાથે જ પોલીસ અધિકારી સાથે તેઓએ ટેલિફોનીક વાત કરી હોવાછતા સરકારી સંપત્તિની ચોરી મુદ્દે પોલીસે બેદરકારી દર્શાવી હતી. મહત્વપૂર્ણ છે કે ટેલિફોનીક વાતચીત બાદ પણ ફરિયાદ ન નોંધાતા મોડીરાત્રે જવાહર ચાવડા પોલીસ મથકે પહોંચ્યા હતા. ત્યારબાદ પોલીસે ફરિયાદ નોંધી હતી. ત્યારે ચાવડાએ આરોપીઓને કેમ છાવરવામાં આવી રહ્યા છે તેવો સવાલ કરીને જૂનાગઢ પોલીસ વડાએ જવાબ આપવો જોઇએ તેવી માગ કરી છે.

તો બીજી તરફ માણાવદર કોંગ્રેસના પ્રમુખ અરવિંદ લાડાણીએ જવાહર ચાવડાના તમામ આરોપોને ફગાવ્યા છે. તેઓએ સ્પષ્ટતા કરી છે કે બાકડાની હેરફેર નહીં પરંતુ પટેલ ચોકમાં ગામના જ લોકો અન્યત્ર ખસેડતા હતા. તેઓનુ માનવું છે કે જવાહર ચાવડાએ ખોટી રીતે પોલીસ વિભાગ પર દબાણ ઉભુ કરીને ફરિયાદ નોંધાવી છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article