3 વર્ષ બાદ દેશ આઝાદીનું 75મું પર્વ મનાવી રહ્યો હશે ત્યારે રાષ્ટ્રપતિ ભવન અને ઈન્ડિયા ગેટ સુધી બધું જ બદલાઈ ગયું હશે. નવું જ સંસદભવન અને કેન્દ્રીય સચિવાલય બનાવવામાં આવશે. 229 કરોડના ખર્ચે નવી સંસદની બિલ્ડીંગ બનાવવામાં આવી રહી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો : દિવાળીમાં ઓનલાઈન શોપિંગ કરવાની ટેવ છે તો રાખો આ 5 વાતનું ધ્યાન
2020 સુધીમાં નવા સંસદભવન માટે કામ શરુ કરી દેવાશે. આ જે રિક્વેસ્ટ ફોર પ્રર્પોઝલ તૈયાર કરવામાં આવી છે તેમાં દેશ અને વિદેશની પ્લાનિંગ અને આર્કિટેક કંપનીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતની કંપનીને પસંદ કરવામાં આવી છે. અમદાવાદ ખાતે આવેલી એચસીપી ડિઝાઈન પ્લાનીંગ એન્ડ મેનેજમેન્ટ કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.
ભૂતકાળમાં અમદાવાદમાં ઘણી ઈમારતો આ કંપની દ્વારા ડિઝાઈન કરવામાં આવી છે. જેમાં અમદાવાદના લાલ દરવાજા ખાતે આવેલું સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનું બિલ્ડીંગ, પતંગ હોટેલ, દેના ભવન વગેરેનો સમાવેશ થાય છે. ડિઝાઈનીંગક્ષેત્રે આ કંપની બહોળો અનુભવ ધરાવે છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ નવા સંસદભવનમાં ભવિષ્યને ધ્યાનમાં રાખીને 1000 સાંસદને બેસવાની વ્યવસ્થા કરવામાં આવશે. કોઈપણ દેશની રાજધાની ખુબસુરત હોય છે એટલા માટે આ નવા સંસદભવનને ખાસ કરીને આકર્ષક બનાવવામાં આવશે. દુનિયામાંથી પ્રવાસીઓ સૌથી વધારે ઈન્ડિયા ગેટ અને રાષ્ટ્રપતિ ભવન તરફ જ આવે છે. આથી આ જગ્યા સુંદર બને તેવો પ્રયાસ રહેશે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]