દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાનના પદ પરથી રાજીનામું આપી દીધુ છે. દેવેન્દ્ર ફડણવીસ અને સરકારના મંત્રીઓ મહારાષ્ટ્રના રાજભવન પહોંચ્યા હતા. જ્યાં રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી સાથે મુલાકાત કરી અને રાજીનામું આપ્યું હતું. જો કે તેઓ કાર્યવાહક મુખ્યમંત્રી તરીકે જવાબદારી નિભાવતા રહેશે. આ બાદ તેમણે મીડિયા સાથે ચર્ચા કરી હતી. ફડણવીસે કહ્યું કે, શિવસેનાએ અનેક વખત PM મોદી વિશે ટિપ્પણી કરી છે. જેનો સ્વીકાર કરી શકાય નહીં.
આ પણ વાંચોઃ ગાંધી પરિવારની સુરક્ષાને લઈ નવો નિર્ણય! SPG સુરક્ષાનું કવચ પરત ખેંચી શકે છે
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
જો વિપક્ષ અમારી આલોચના કરે તો સમજ આવે છે. પરંતુ શિવસેના સરકાર વિશે આ પ્રકારે ટિપ્પણી કરશે તો સ્વીકાર્ય નથી. સાથે પોતાની સરકારની કામગીરી પણ ગણાવી હતી. પરિણામના 15 દિવસ સુધી પણ નવી સરકાર ન બનવાને જનાદેશનું અપમાન ગણાવ્યું હતું. તો સાથે 5 વર્ષ સરકાર ચલાવવાના મામલે મહારાષ્ટ્રની જનતા અને ઉદ્ધવ ઠાકરેનો આભાર માન્યો હતો. હાલ તો દેવેન્દ્ર ફડણવીસ કાર્યકારી મુખ્યપ્રધાન તરીકે ફરજ બજાવશે. તેમણે કહ્યું કે, રાજ્યપાલે મને નવી સરકારના ગઠન સુધી આ જવાબદારી સોંપી છે.
Published On - 12:47 pm, Fri, 8 November 19