રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસે શુક્રવારે કહ્યું કે મંદિર નિર્માણ પહેલા માત્ર ભૂમિ પૂજન થશે, શિલાન્યાસનો કાર્યક્રમ નહી થાય. મહંતના જણાવ્યા મૂજબ વર્ષ 1992માં શિલાન્યાસ થઈ ગયો છે, આથી વારંવાર શિલાન્યાસ ન થઈ શકે. ભૂમિ પૂજન કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવામાં આવ્યું છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટ્રસ્ટની થયેલી પહેલી બેઠકની જાણકારી આપવામાં આવી અને ભૂમિ પૂજન કાર્યક્રમમાં હાજરી આપવા આમંત્રણ આપવામાં આવ્યું. વડાપ્રધાને મળ્યા બાદ મહંત નૃત્ય ગોપાલ દાસે કહ્યું કે હવે રાહ જોવા માટે વધારે સમય નથી, તેથી મંદિર નિર્માણનું કામ ઝડપથી થવું જોઈએ.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: મફતમાં મળશે હવે રેલ્વે પ્લેટફોર્મ ટિકિટ! તમારે કરવું પડશે આ કામ!
મહંત નૃત્ય ગોપાલ દાસે કહ્યું કે, અમે વડાપ્રધાનને કહ્યું છે કે દિવ્ય અને ભવ્ય રામ મંદિર જલ્દીથી જલ્દી બનાવવામાં આવે. લોકોએ મંદિર નિર્માણ માટે જ તેમને વડાપ્રધાન બનાવ્યા છે. તમે સંતો અને લોકોની ઇચ્છા પૂર્ણ કરો.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]