મધ્યપ્રદેશની સરકાર રહેશે કે નહીં તે અંગે મુદો હવે કોર્ટ સુધી પહોંચી ગયો છે. મધ્યપ્રદેશમાં સરકાર પડી જાય તેવી સ્થિતિમાં છે અને આ મામલે સુપ્રીમ કોર્ટ સુનાવણી કરી રહી છે. 16 ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે અને તેના લીધે કમલનાથ સરકાર અલ્પમતમાં આવી ગઈ છે.
આ પણ વાંચો : સુરેન્દ્રનગરઃ ખેડૂતોમાં રોષ, વીમા કંપનીઓએ ખેડૂતોને પાક વીમો આપવાનો કર્યો ઈનકાર
આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. તમામ બાગી ધારાસભ્યોને મળવા માટે કોંગ્રેસે સુપ્રીમ કોર્ટ આદેશ આપે તેવી માગણી કરી છે. જો કે કોર્ટે કહ્યું તે આવો કોઈ જ આદેશ આપી શકે નહીં. બાળકો જેવો આ મામલો નથી. જો કે ભાજપ તરફથી આવેલાં વકીલે દલીલ કરી હતી કે જ્યારે ધારાસભ્યો જ મળવા નથી માગતા તો કેવી રીતે મળવા માટે દબાણ કરી શકાય?
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
કમલનાથ સરકાર આ મુદા પર સુપ્રીમ કોર્ટે સ્પીકરની સામે સવાલ ઉભો કર્યો હતો. કોર્ટે સવાલ કર્યો કે શા માટે તમે અત્યાર સુધી ધારાસભ્યોના રાજીનામા પર કોઈ જ એક્શન ના લીધું? શું આ ધારાસભ્યો ખુદ જ અયોગ્ય નથી? તમે બજેટ સત્રને પણ ટાળી દીધું છે. જો બજેટ નહીં રજૂ થાય તે રાજ્યનું કામકાજ કેવી રીતે ચાલશે? જો કે આ મામલે વધુ સુનાવણી ગુરુવારના રોજ પણ ચાલુ રાખવામાં આવશે. આ બાજુ શિવરાજ સિંહના પક્ષમાંથી દલીલ કરવામાં આવી હતી કે કોર્ટ દ્વારા તરત જ ફ્લોર ટેસ્ટનો આદેશ આપવામાં આવે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]