MP Political Crisis: કમલનાથનો ફ્લોર ટેસ્ટ કે રાજીનામું? થોડા કલાકમાં થશે નિર્ણય

|

Oct 02, 2020 | 1:50 PM

મધ્યપ્રદેશમાં ચાલી રહેલા રાજકીય ડ્રામાની તસ્વીર આજે સાફ થઈ જશે. કોંગ્રેસના બળવાખોર 16 ધારાસભ્યનું રાજીનામું મંજૂર થયા પછી કમલનાથ સરકારનું જવું નક્કી માનવામાં આવી રહ્યું છે. મુખ્યપ્રધાન કમલનાથે બપોરે 12 વાગ્યે પત્રકાર પરિષદ બોલાવી છે અને માનવામાં આવી રહ્યું છે કે બહુમત પરિક્ષણ પહેલા જ તે રાજીનામું આપી શકે છે. ત્યારે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ માટે […]

MP Political Crisis: કમલનાથનો ફ્લોર ટેસ્ટ કે રાજીનામું? થોડા કલાકમાં થશે નિર્ણય

Follow us on

મધ્યપ્રદેશમાં ચાલી રહેલા રાજકીય ડ્રામાની તસ્વીર આજે સાફ થઈ જશે. કોંગ્રેસના બળવાખોર 16 ધારાસભ્યનું રાજીનામું મંજૂર થયા પછી કમલનાથ સરકારનું જવું નક્કી માનવામાં આવી રહ્યું છે. મુખ્યપ્રધાન કમલનાથે બપોરે 12 વાગ્યે પત્રકાર પરિષદ બોલાવી છે અને માનવામાં આવી રહ્યું છે કે બહુમત પરિક્ષણ પહેલા જ તે રાજીનામું આપી શકે છે. ત્યારે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ માટે સ્પીકર એન.પી.પ્રજાપતિએ બપોરે 2 વાગ્યાનો સમય નક્કી કર્યો છે.

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ગુરૂવારે સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશ વિધાનસભાના સ્પીકર એન.પી.પ્રજાપતિને ફ્લોર ટેસ્ટ માટે શુક્રવારે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવાનો નિર્દેશ કર્યો હતો. કોર્ટે ફ્લોર ટેસ્ટની પ્રક્રિયા સાંજે 5 વાગ્યા સુધી પૂરી કરવા માટે કહ્યું છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશ પછી સ્પીકર એન.પી.પ્રજાપતિએ વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવ્યું છે અને વિધાનસભા કાર્યસૂચીમાં બપોરે 2 વાગ્યાનો સમય નિર્ધારિત કર્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

મધ્યપ્રદેશ વિધાનસભા સ્પીકર એન.પી.પ્રજાપતિએ ગુરૂવારે મોડી રાત્રે કોંગ્રેસના 16 બળવાખોર ધારાસભ્યોના રાજીનામાં મંજુર કરી લીધા. આ તમામ ધારાસભ્યો સિવાય 6 અન્ય ધારાસભ્યોના રાજીનામાં પહેલા જ મંજૂર કરી લેવામાં આવ્યા છે. આ પ્રકારે અત્યાર સુધી કુલ 22 ધારાસભ્યોના રાજીનામાં મંજૂર કરવામાં આવી ચૂક્યા છે. જ્યોતિરાદિત્ય સિંધિયાના સમર્થક 22 ધારાસભ્યોએ 10 માર્ચે રાજીનામાં આપ્યા હતા પણ સ્પીકરે તેમના રાજીનામાં પર કોઈ નિર્ણય લીધો ન હતો. આ તમામ ધારાસભ્યો હાલમાં બેંગલુરૂમાં રોકાયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશ કોંગ્રેસ ધારાસભ્ય દળે ગુરૂવારે પોતાના તમામ ધારાસભ્યોને વ્હીપ જાહેર કર્યુ, જેમાં કહેવામાં આવ્યું કે તે તમામ 20 માર્ચે વિધાનસભામાં હાજર રહે અને બહુમત પરિક્ષણ દરમિયાન કમલનાથ સરકારના પક્ષમાં મતદાન કરે. બીજી તરફ ભાજપે પણ તેમના ધારાસભ્યોને વ્હીપ જાહેર કરી કમલનાથ સરકારની વિરૂદ્ધ મતદાન કરવા માટે કહ્યું છે.

આ પણ વાંચો: 7 વર્ષ બાદ નિર્ભયાના દોષિતોને ફાંસી, સુરતના લોકોએ ખુશી વ્યક્ત કરી

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 3:49 am, Fri, 20 March 20

Next Article