ઘણાંલોકાના મનમાં એવું હોય છે કે આચાર-સંહિતા લાગવાથી તમામ સરકારી કામો રોકાઈ જાય છે અને સરકારી અધિકારીઓ પણ ઘણીવખત આ કામ કરવાની ના પાડીને આચાર-સંહિતાનું કારણ આગળ ધરી દેતા હોય છે. ભલે દેશમાં કોઈપણ ચૂંટણી યોજાઈ જાય પણ અમુક જે લોકોની જીવન-જરુરિયાતની સુવિધાઓ જે તેના પર કોઈ જ પ્રતિબંધ લાગતો નથી અને તે રાબેતા મુજબ ચાલુ જ રહે છે. ચૂંટણી પંચ પણ લોકોના એવા મુદ્દાને લઈને આચાર-સંહિતામાં છૂટ આપે છે જેનો સીધો જ સંબંધ જરુરિયાતની વસ્તુ સાથે હોય છે.
1. આધારકાર્ડ બનાવવું
2. પેંશન કાર્ડ બનાવવું
3. જાતિનું પ્રમાણપત્ર બનાવવું
4.વીજળી-પાણીને લગતી સેવાઓ
5. સાફ-સફાઈ સંબંધી કામ
6. સારવાર માટેના આર્થિક સહયોગને લગતાં કામો
7. રસ્તાઓના સમારકામનું કામ
8. જૂના કોઈપણ ચાલુ પ્રોજેક્ટ પર રોક નહીં લાગે
9. અધિકારી આચાર-સંહિતાનું બહાનું આપીને જીવન-જરુરી કામ હોય તો ના પાડી શકે નહીં
10. મકાનના નકશાઓ માટે વહેલાં અરજી કરી હોય તેના નકશા પાસ થઈ જશે, નવી અરજીઓ નહીં
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]