લાલુ પ્રસાદ યાદવના દીકરા તેજપ્રતાપ યાદવ સતત તેમના નવા નવા કામને લઈને ચર્ચામાં રહે છે. ક્યારેક રાધાના લુકમાં સામે આવે છે તો ક્યારેક ભગવાન ભોળાનાથ બની જાય છે. આ વખતે તેઓ ગોવાળીયા બની ગયા છે અને ગાયને દોહી રહ્યાં છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાઈરલ થઈ રહ્યો છે. તેઓ આ વીડિયોના લીધે ફરી એકવાર ચર્ચામાં આવી ગયા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો : IND vs NZ: પ્રથમ ટી-20 મેચમાં ભારતની શાનદાર જીત, વિરાટ કોહલીના 45 રન
તેજપ્રતાપ યાદવે પોતાના ટ્વીટર હેન્ડલ એક વીડિયો શેર કર્યો છે. તેજપ્રતાપે આ વીડિયોના કેપ્શનમાં લખ્યું કે અમે કૃષ્ણના વશંજ છીએ, પાપીઓના વિનાશ માટે અમારો જન્મ થાય છે. જો કોઈને શંકા હોય તો કંશ અને કૌરવોના ઈતિહાસને વાંચી લે. આમ એક આ નવા વીડિયોના લીધે તેજપ્રતાપ યાદવ ચર્ચામાં આવ્યા છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]