Himanta Biswa Sarma : એક સમયે પ્રખર કોંગ્રેસી રહેલા નેતાને ભાજપે બનાવ્યા આસામના મુખ્યપ્રધાન, જાણો કોણ છે હેમંત બિસ્વા સરમા

Himanta Biswa Sarma : જાણો કોણ છે હેમંત બિસ્વા સરમા, જેમને આસામના ચાણક્ય કહેવામાં આવે છે.

Himanta Biswa Sarma : એક સમયે પ્રખર કોંગ્રેસી રહેલા નેતાને ભાજપે બનાવ્યા આસામના મુખ્યપ્રધાન, જાણો કોણ છે હેમંત બિસ્વા સરમા
FILE PHOTO
Follow Us:
| Updated on: May 09, 2021 | 5:41 PM

Himanta Biswa Sarma : આસામમાં ભાજપે સતત બીજી વાર સત્તા મેળવી છે અને આ વખતે ભાજપે સર્વાનંદ સોનોવાલને હટાવી હેમંત બિસ્વા સરમાને મુખ્યપ્રધાન બનાવ્યા છે. એક સમયે પ્રખર કોંગ્રેસી રહેલા હેમંત બિસ્વા સરમાને ભાજપે આસામના મુખ્યપ્રધાન બનાવ્યા છે. આવો જાણીએ કોણ છે હેમંત બિસ્વા સરમા, જેમને આસામના ચાણક્ય કહેવામાં આવે છે.

2015માં છોડી હતી કોંગ્રેસ Himanta Biswa Sarma એ વર્ષ 2015માં કોંગ્રેસ છોડી હતી. તેમણે રાહુલ ગાંધી પર અવગણના કરવામાં આવ્યા હોવાનો આરોપ લગાવીને ભાજપમાં જોડાયા હતા. તેમણે કહ્યું કે જ્યારે તેઓ રાહુલ ગાંધીને મળવા ગયા ત્યારે કોંગ્રેસના નેતા કરતા રાહુલ ગાંધી તેમના કૂતરા પર વધુ કેન્દ્રિત કરી રહ્યા હતા.

એકવાર સરમાએ પોતે જ ટ્વીટ કર્યું કે જ્યારે રાહુલ આસામના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સાથે તેઓ વાતચીત કરવા માંગતા હતા, ત્યારે રાહુલ તેમના પાલતુ કૂતરાને બિસ્કિટ ખવડાવવામાં વ્યસ્ત હતા. સરમાએ કહ્યું હતું કે તેમણે આ કારણે જ કોંગ્રેસ પાર્ટી છોડી હતી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

1980માં રાજકારણમાં પ્રવેશ કર્યો Himanta Biswa Sarmaની રાજકીય કારકીર્દીની શરૂઆત 1980 માં થઈ, જ્યારે તે છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતા હતા ત્યારે ઓલ આસામ સ્ટુડન્ટ્સ યુનિયન (AASU) માં જોડાયા હતા. 1981 માં AASU પર કાર્યવાહી શરૂ થઈ. આ સમય દરમિયાન સરમાને પ્રેસ સુધી જાહેરાતો અને અન્ય વસ્તુઓ મોકલવાની જવાબદારી મળી હતી. થોડા વર્ષો બાદ તેમને AASUના ગુવાહાટી એકમના મહાસચિવ બનાવવામાં આવ્યા હતા.

કોંગ્રેસમાં હતા ત્યારે હેમંત બિસ્વા સરમાએ આસામ સરકારમાં શિક્ષણ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, કૃષિ, યોજના અને વિકાસ, PWD અને નાણાવિભાગ જેવા અગત્યના વિભાગો સંભાળ્યા હતા. જો કે તત્કાલીન મુખ્યપ્રધાન તરુણ ગોગોઈ સાથેના અણબનાવટને કારણે આખરે સરમા વિધાનસભાની ચૂંટણી પહેલા 2016માં ભાજપમાં જોડાયા હતા.

કાયદાશાસ્ત્રમાં પી.એચ.ડી ડીગ્રી મેળવી છે Himanta Biswa Sarma નો જન્મ 1 ફેબ્રુઆરી 1969 માં થયો હતો. તેમના પિતાનું નામ કૈલાશ નાથ સરમા અને માતાનું નામ મૃણાલિની દેવી છે. સરમાએ પ્રારંભિક શિક્ષણ ગુવાહાટીની કામરૂપ એકેડમી સ્કૂલમાંથી પ્રાપ્ત કર્યું હતું. ત્યારબાદ તેણે સરકારી લો કોલેજમાંથી LLB નો અભ્યાસ કર્યો અને ત્યારબાદ ગુવાહાટી યુનિવર્સિટીમાંથી કાયદાશાસ્ત્રમાં પી.એચ.ડી ડીગ્રી મેળવી હતી. સરમાએ 1996 અને 2001 ની વચ્ચે ગુવાહાટી હાઇકોર્ટમાં કાયદાની પ્રેક્ટિસ પણ કરી હતી.

સરમાએ 2001 માં રિકી ભુયાન સાથે લગ્ન કર્યા હતા. સરમા અને તેની પત્નીને એક પુત્ર અને એક પુત્રી છે. વર્ષ 2017 માં સરમા બેડમિંટન એસોસિએશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ તરીકે પણ ચૂંટાયા હતા.

આ પણ વાંચો :  હેમંત બિસ્વા સરમા બનશે આસામના નવા મુખ્યમંત્રી, વિધાનસભા પક્ષના નેતા ચૂંટાયા

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">