કેન્દ્રના નવા કૃષિ સુધારા કાયદાનો ખેડૂતો મોટાપાયે વિરોધ કરી રહ્યા છે. આજે પણ ખેડૂતોનું આંદોલન યથાવત્ છે. હજારો ખેડૂતો દિલ્લીની સિંધુ બોર્ડર પર એકઠા થયા છે. જ્યાં કિસાન યુનિયન નેતાઓની બેઠક છે. બેઠકમાં આગળની રણનીતિ પર ચર્ચા કરાઈ રહી છે. કેન્દ્ર સરકાર તરફથી વાતચીત કરવાનો પ્રસ્તાવ હોવા છતા ખેડૂતો વિરોધ ચાલું છે. ખેડૂતોએ નિર્ણય કર્યો છે કે તે સિંધુ બોર્ડર પર જ પોતાનો વિરોધ ચાલું રાખશે અને ક્યાંય નહીં જાય. એ પણ નક્કી કરાયું છે કે દરરોજ સવારે 11 વાગ્યે આગળની રણનીતિ નક્કી કરાશે. ખેડૂતોના જમાવડાને ધ્યાનમાં રાખતા દિલ્લી-હરિયાણા બોર્ડર પર મોટી સંખ્યામાં સિક્યોરિટી ફોર્સ તૈનાત છે.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે, સરકાર વાતચીત માટે નક્કી કરાયેલા દિવસ 3 ડિસેમ્બર પહેલા પણ ખેડૂતો સાથે ચર્ચા કરવા માટે તૈયાર છે. તેમણે અપીલ કરી હતી કે ખેડૂત દિલ્લીના બહારના વિસ્તાર બુરાડીમાં નિરંકારી સમાગમ ગ્રાઉન્ડ પર પ્રદર્શન કરે. આ અંગે ખેડૂતોએ કહ્યું કે, સરકારને ખુલ્લા દિલે આગળ આવવું જોઈએ, શરતો સાથે નહીં.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો