પાકિસ્તાને સોમવારના રોજ કહ્યું કે ગુરુ નાનકની 550મી જયંતીના 3 દિવસ પહેલાં એટલે કે 9 નવેમ્બરના રોજ ભારતીય શીખ યાત્રિઓ માટે કરતારપૂર કોરિડોર ખોલવામાં આવશે.
આ પણ વાંચો : નવસારી વાંસદાના લીમઝર ગામે ભૂકંપના આંચકા અનુભવાયા, મહુવરિયા ગામે એપી સેન્ટર નોંધાયું
પરિયોજનાના નિર્દેશક દ્વારા આ કરતારપૂર કોરિડોર અંગે પત્રકારોને માહિતી આપવામાં આવી હતી. લાહોરથી 125 કિમી નારોવાલ ખાતે કરતાપૂર કોરિડોર આવેલો છે અને ભારત-પાકિસ્તાન વચ્ચે આ કોરિડોરને લઈને ઝડપથી કામ ચાલી રહ્યું છે. એવી જાણકારી આપવામાં આવી કે 86 ટકા કામ પુરું થઈ ગયું છે અને બાકીનું કામ એક મહિનાની અંદર પુરું કરી દેવાશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
સુવિધાઓ માટે પણ આ પત્રકાર પરિષદમાં વાત કરવામાં આવી. જેમાં કહેવાયું કે ભારતથી એક દિવસમાં 5000 યાત્રાળુઓ આવશે તેના માટે 76 ઈમિગ્રેશન કાઉન્ટરો સ્થાપિત કરવામાં આવ્યા છે. પાકિસ્તાન આ કાઉન્ટરોની સંખ્યા યાત્રાળુઓની સંખ્યા વધે તો વધારી શકે છે તેમ છે. કરતાપુર શીખ ધર્મસ્થળ છે અને તે પાકિસ્તાનમાં આવેલું છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]