Karnataka Political Crises: કર્ણાટક મંત્રીઓની પરિષદમાં સંભવિત ફેરબદલ અંગેની અટકળો વચ્ચે,કર્ણાટકનાં રાજકારણના મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સુત્રોનું માનીઓ તો,CM યેદિયુરપ્પા રાજીનામું આપી શકે છે. CM યેદિયુરપ્પાએ (Yeddyurappa)જણાવ્યું હતું કે,જો પાર્ટી કહેશે તો હું રાજીનામું આપી દઈશ.
રાજ્યમાં રાજકીય નેતૃત્વમાં પરિવર્તનની અટકળો તીવ્ર બની રહી છે.ત્યારે,આ સ્થિતિમાં વડા પ્રધાન (Prime Minister) અને કેન્દ્રીય નેતાઓને મળવા, CM યેદિયુરપ્પા દિલ્હી પહોંચ્યા બાદ આ અટકળોએ વધુ વેગ પકડ્યો છે. પરંતુ, જ્યારે રાજ્યમાં (State) નેતૃત્વ પરિવર્તન વિશે પૂછવામાં આવ્યું ત્યારે મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ સીધો જવાબ આપવાનું ટાળ્યું હતું. અને કહ્યું કે,”મને ખબર નથી,તમે જ મને કહો. ”
#WATCH “Not at all…,” says Karnataka CM BS Yediyurappa on being asked if he has resigned pic.twitter.com/mQDSI7g8Pu
— ANI (@ANI) July 17, 2021
CM યેદીયુરપ્પા અને અમિત શાહ વચ્ચેની બેઠક પૂર્ણ
CM યેદીયુરપ્પા અને અમિત શાહ વચ્ચેની બેઠક પૂર્ણ થઈ છે. ત્યારે સુત્રોનું માનીએ તો,યેદીયુરપ્પાએ CM પદ પરથી દુર થવાનું નક્કી માનવામાં આવી રહ્યું છે. આ બેઠકમાં CM યેદીયુરપ્પા એ પોતાના પુત્રને ડેપ્યુટી CM બનાવવાની માંગ કરી છે.
Published On - 11:06 am, Sat, 17 July 21