કર્ણાટકમાં કોંગ્રેસના નાયબ મુખ્યમંત્રીએ રાજીનામું ધરી દીધુ, રાજીનામા બાદ ખાસ પ્લેનમાં મુંબઈ રવાના

|

Jul 08, 2019 | 7:45 AM

કર્ણાટક સરકારમાં હાલ તો ફાનીથી મોટું તુફાન આવી ચૂક્યું છે. કોંગ્રેસ અને જેડીએસની ગઠબંધન સરકારમાં 32 મંત્રીઓએ રાજીનામા ધરી દીધા છે. સૂત્રો દ્વારા મળતી માહિત પ્રમાણે નાયબ મુખ્યમંત્રીએ પણ કોંગ્રેસના અન્ય મંત્રીઓ સહિત રાજીનામું આપી દીધુ છે. આ પણ વાંચોઃ અમૂલ ડેરીમાં દૂધ ભરાવતા પશુપાલકો માટે આનંદના સમાચાર, કિલો ફેટ પર ભાવમાં વધારો કર્નાટકમાં કુમારાસ્વામીની […]

કર્ણાટકમાં કોંગ્રેસના નાયબ મુખ્યમંત્રીએ રાજીનામું ધરી દીધુ, રાજીનામા બાદ ખાસ પ્લેનમાં મુંબઈ રવાના

Follow us on

કર્ણાટક સરકારમાં હાલ તો ફાનીથી મોટું તુફાન આવી ચૂક્યું છે. કોંગ્રેસ અને જેડીએસની ગઠબંધન સરકારમાં 32 મંત્રીઓએ રાજીનામા ધરી દીધા છે. સૂત્રો દ્વારા મળતી માહિત પ્રમાણે નાયબ મુખ્યમંત્રીએ પણ કોંગ્રેસના અન્ય મંત્રીઓ સહિત રાજીનામું આપી દીધુ છે.

આ પણ વાંચોઃ અમૂલ ડેરીમાં દૂધ ભરાવતા પશુપાલકો માટે આનંદના સમાચાર, કિલો ફેટ પર ભાવમાં વધારો

કર્નાટકમાં કુમારાસ્વામીની સરકાર સંકટમાં આવી ચૂકી છે. 6 જુલાઈએ જેડીએસ-કોંગ્રેસના 11 ધારાસભ્યોએ રાજીનામું આપી દીધુ છે. આ ધારાસભ્યો વિધાનસભાના સ્પીકરને રાજીનામું આપવા પહોંચ્યા હતા. પરંતુ સ્પીકરની ગેરહાજરી હોવાથી તેમના સચિવને રાજીનામું આપી દીધુ હતું. આ સમગ્ર ગતિવિધિ દરમિયાન મુખ્ય પ્રધાન કુમારાસ્વામી અમેરિકાની યાત્રા પર હતા.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

11 ધારાસભ્યોના રાજીનામાને હજુ મંજૂરી આપી નથી. અને જો રાજીનામાને મંજૂરી આપવામાં આવી તો ફ્લોર ટેસ્ટમાં ભાજપ બહુમતી સાબીત કરવામાં સફળ બનશે. કોંગ્રેસના 8 ધારાસભ્યોએ રાજીનામા આપી દીધી છે. જો કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને કોઈ રીતે મનાવવામાં સફળ રહી તો તેમની ગઠબંધનવાળી સરકાર બચી શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રાજીનામું આપી દીધા પછી તમામ ધારાસભ્યો મુંબઈ પહોંચી ગયા છે.

કર્ણાટક સરકારમાંથી પોતાનું સમર્થન પરત લેવા અને રાજીનામું આપ્યા બાદ અપક્ષ ઉમેદવાર નાગેશ મુંબઈ માટે રવાના થઈ ગયા છે. જે ધારાસભ્યો મુંબઈ જઈ રહ્યા છે તેમના માટે ખાસ પ્લેનની વ્યવસ્થા એરપોર્ટ પર જ કરી દેવાઈ છે.

Next Article