જ્યોતિરાદિત્ય સિંધિયાનો સંસદમાં કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું મોં ના ખોલાવો 100 કરોડની વસૂલી થઈ રહી છે

|

Mar 24, 2021 | 6:15 PM

ભાજપ નેતા અને રાજ્યસભાના સાંસદ Jyotiraditya Scindia એ ફરી એકવાર કોંગ્રેસ પર જોરદાર પ્રહાર કર્યા છે.કોંગ્રેસના એક નેતાએ તેમને બોલતા રોકવા પ્રયાસ કર્યા હતા જેના પર સિંધિયાએ પણ પ્રતિક્રિયા આપી અને તેમને મહારાષ્ટ્રની યાદ અપાવી હતી. સિંધિયાએ કહ્યું, મોં ખોલો નહીં, ગૃહ પ્રધાન દ્વારા 100 કરોડ રૂપિયા લેવામાં આવ્યાં હતાં.

જ્યોતિરાદિત્ય સિંધિયાનો સંસદમાં કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું મોં ના ખોલાવો 100 કરોડની વસૂલી થઈ રહી છે
Modi Cabinet Reshuffle: Modi government gives ministerial posts to 5 leaders from outside party, Jyotiraditya gets his father's portfolio

Follow us on

ભાજપ નેતા અને રાજ્યસભાના સાંસદ Jyotiraditya Scindia એ ફરી એકવાર કોંગ્રેસ પર જોરદાર પ્રહાર કર્યા છે. જ્યોતિરાદિત્ય સિંધિયાએ બુધવારે રાજ્યસભામાં નાણાકીય બિલ પર બોલતા હતા, ત્યારે કોંગ્રેસના ઘણા સાંસદો પેટ્રોલ અને ડીઝલની કિંમતો અંગે ટિપ્પણી કરવા લાગ્યા હતા. તે સમયે સિંધિયાએ તેમને પેટ્રોલ અને ડીઝલ પાછળનું ગણિત પણ સમજાવ્યું હતું અને મોં ન ખોલવાની સલાહ આપી હતી.

આ દરમ્યાન કોંગ્રેસના એક નેતાએ તેમને બોલતા રોકવા પ્રયાસ કર્યા હતા જેના પર સિંધિયાએ પણ પ્રતિક્રિયા આપી અને તેમને મહારાષ્ટ્રની યાદ અપાવી હતી. સિંધિયાએ કહ્યું, મોં ખોલો નહીં, ગૃહ પ્રધાન દ્વારા 100 કરોડ રૂપિયા લેવામાં આવ્યાં હતાં. સિંધિયાએ કહ્યું કે તમે 15 લાખની વાત કરો છો તમે પહેલા 100 કરોડનો હિસ્સો લો મારું મોં ખોલાવશો નહીં તો હું શરૂ કરીશ.

મહારાષ્ટ્રમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સૌથી વધુ છે

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Jyotiraditya Scindia એ કહ્યું કે, એ સાચું છે કે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થયો છે. તે પણ સાચું છે કે વધારાનું કારણ શું છે. તેમણે કહ્યું કે પેટ્રોલ અને ડીઝલના ભાવ પર ખર્ચ કર્યા પછી 40 ટકા હિસ્સો રાજ્યને અને 60 ટકા કેન્દ્રને મળે છે. 60 ટકામાંથી 42 ટકા રાજ્યમાં જાય છે. રાજ્યને તે રકમનો 64 ટકા હિસ્સો મળે છે અને 36 ટકા કેન્દ્રમાં રહે છે. Jyotiraditya Scindia એ  કહ્યું કે, મહારાષ્ટ્રમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સૌથી વધુ છે. અહીં તમે સરકારને જવાબદાર ગણી રહ્યા છો તો પરંતુ ત્યાં કોઈ પગલાં નથી લેતા. સિંધિયાએ કહ્યું કે મારે એટલું જ કહેવું છે કે, જેમના મકાનો કાચથી બનેલા છે તેઓ બીજા પર પત્થર ફેંકતા નથી.

નીતિઓને લઈને કોંગ્રેસે સરકારને ઘેરી લીધી હતી
બુધવારે રાજ્યસભામાં કોંગ્રેસે સરકારની આર્થિક નીતિઓની આકરી ટીકા કરતા કહ્યું હતું કે કોવિડ રોગચાળા પૂર્વે જ દેશની અર્થવ્યવસ્થા પાટા પરથી ઉતરી ગઈ હતી અને કેન્દ્ર તેની નિષ્ફળતાઓને છુપાવવા માટે કોરોનાનો ઉપયોગ કરી રહ્યું છે. કોંગ્રેસના દીપેન્દ્રસિંહ હુડ્ડાએ ઉપલા ગૃહમાં ફાઇનાન્સ બિલ, 2021 પર ચર્ચા શરૂ કરતાં આક્ષેપ કર્યો હતો કે સરકારની ખોટી નીતિઓને કારણે અર્થવ્યવસ્થા પહેલેથી જ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી છે. પરંતુ બજેટમાં આ પરિસ્થિતિમાં સુધારો કરવા કોઇ ખાસ જોગવાઇ કરવામાં આવી નથી.

Next Article