નિર્ભયા કેસની સુનાવણી દરમિયાન એક મહિલા જજના બેહોશ થઈ જવાથી સુનાવણી ટળી ગઈ છે. સુપ્રીમ કોર્ટે નિર્ભયા કેસ મામલે સુનાવણી કરી રહી છે અને આ સુનાવણી દરમિયાન ન્યાયધીશ ભાનુમતિની તબિયત ખરાબ થઈ ગઈ હતી. મહિલા સ્ટાફની મદદથી ભાનુમતિને તેમની કેબિનમાં લઈ જવામાં આવ્યા હતા. આમ જજના જ બેહોશ થઈ જવાથી આ કેસની સુનાવણી ટળી ગયી છે.
આ પણ વાંચો : ટ્રમ્પના અમદાવાદ આગમન સમયે ભવ્ય રોડ શો દરમિયાન 50 હજારથી વધુ લોકો જોડાશે તેવો અંદાજ
ઉલ્લેખનીય છે કે નિર્ભયા કેસના દોષી વિનયની અરજી પર આદેશ સાંભળ્યા બાદ જસ્ટિસ ભાનુમતિ દોષીઓને અલગ અલગ ફાંસી આપવામાં આવે તેવી અરજી પણ સુનાવણી કરી રહ્યાં હતા. જો કે આ અરજીને સુપ્રીમ કોર્ટની ખંડપીઠે ફગાવી દેવાનો નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટે વિનય શર્માની અરજી પર ચુકાદો અનામત રાખી દીધો હતો. જેમાં વિનયની અરજી પર સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે જેમાં રાષ્ટ્રપતિએ દયાની અરજી ફગાવી તેના વિરુદ્ધ અપીલ કરવામાં આવી હતી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 2:34 pm, Fri, 14 February 20