ઉત્તરપ્રદેશના સહારનપુરમાં ધોળાદિવસે પત્રકાર અને તેના ભાઈને ગોળી મારી હત્યા કરી દેવાતા ચકચાર મચી છે. કોતવાલી વિસ્તારના માધનવગર કોલોનીમાં એક ડેરી સંચાલક અને તેના પુત્રોએ ધોળાદિવસે ફાયરિંગ કરી. જેમાં એક પત્રકાર અને તેના ભાઈનું મોત નિપજ્યું. આરોપીઓ અને મૃતક પત્રકાર વચ્ચે ગોબર વિવાદમાં ઝઘડો થયો હતો. અને તેનો રોષ રાખીને જ પત્રકાર પર ફાયરિંગ થયા હોવાનું માનવામાં આવી રહ્યુ છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચોઃ કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ સરકારી અધિકારીઓને આપી ચેતવણી, નિવારણ લાવો નહીં તો ધોલાઈ!
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આરોપી દૂધ ડેરીના સંચાલક મહિપાલ સૈની અને તેના બંને પુત્રો ફાયરિંગ બાદ ઘટના સ્થળ પરથી ફરાર થઈ ચૂક્યા છે. તો આ તરફ પત્રકારની હત્યાની થઈ હોવાની જાણ થતા જ પોલીસ તંત્ર પણ દોડતુ થયુ છે. અને પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરવા ચાર અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે.
[yop_poll id=”1″]