રાજકોટમાં હાર્દીક પટેલે કહ્યું, કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસ સત્તાસ્થાને આવશે, વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લવાશે
ગુજરાતમાં આવનારી મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં કોંગ્રેસ સત્તાસ્થાને આવશે તેવો વિશ્વાસ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દીક પટેલે વ્યક્ત કર્યો. રાજકોટ ખાતે ભાજપના મહિલા કોર્પોરેટર કોંગ્રેસમાં જોડાયા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં હાર્દીકે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, કોંગ્રેસ કોઈ પણ સમસ્યાના મૂળ સુધી જઈને તેનો ઉકેલ લાવવામાં માને છે. સ્વાસ્થય, શિક્ષા, રોડ, લાઈટ અને ગટર જેવી સમસ્યાનો કાયમી ઉકેલ […]
ગુજરાતમાં આવનારી મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં કોંગ્રેસ સત્તાસ્થાને આવશે તેવો વિશ્વાસ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દીક પટેલે વ્યક્ત કર્યો. રાજકોટ ખાતે ભાજપના મહિલા કોર્પોરેટર કોંગ્રેસમાં જોડાયા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં હાર્દીકે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, કોંગ્રેસ કોઈ પણ સમસ્યાના મૂળ સુધી જઈને તેનો ઉકેલ લાવવામાં માને છે. સ્વાસ્થય, શિક્ષા, રોડ, લાઈટ અને ગટર જેવી સમસ્યાનો કાયમી ઉકેલ કોંગ્રેસ આપશે. અત્યારે થોડા વરસાદમાં પણ રોડ ઉપર જે પાણી ભરાઈ જાય છે તેવી સમસ્યામાંથી છુટકારો કોંગ્રેસના શાસનમાં નક્કી છે. જીએસટીનો વિરોધ જે તે વખતે મુખ્યપ્રધાન તરીકે રહેલા નરેન્દ્ર મોદી કરતા હતા તેમ કહીને વેપારીઓને જીએસટીના નામે કનડગત ના થાય તે જોવા કહ્યું. તો સી આર પાટીલ સામે અરજી કરવા છતા કોઈ પગલા લેવાતા ના હોવાનુ પણ કહ્યું.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો