સુરતના હિરા ઉદ્યોગમાં કોરોનાનું સંક્રમણ વધશે તો બજાર બંધ કરાવાશે, રસ્તા પર પડેલા ખાડા સાત દિવસમાં પૂરી દેવાશેઃ મ્યુ. કમિશનર
સુરતમાં કોરોનાનું સંક્રમણ વધતા મ્યુ. તંત્રમાં ચિંતા પ્રસરી છે. મ્યુ. કમિશનર બંછાનિધી પાનીએ કહ્યું કે જો હિરા બજારમાં સંક્રમણ વધુ જણાશે તો માર્કેટ બંધ કરાવાશે. આ વર્ષે વરસેલા ભારે વરસાદથી સુરતના અનેક રોડ ધોવાઈ ગયા છે. તુટેલા કે ધોવાઈ ગયેલા રસ્તાઓનું નિરીક્ષણ કરવા નિકળેવા મ્યુનિસિપલ કમિશનરે કહ્યું કે આગામી સાત દિવસમાં સુરત શહેરમાં વરસાદને કારણે […]
સુરતમાં કોરોનાનું સંક્રમણ વધતા મ્યુ. તંત્રમાં ચિંતા પ્રસરી છે. મ્યુ. કમિશનર બંછાનિધી પાનીએ કહ્યું કે જો હિરા બજારમાં સંક્રમણ વધુ જણાશે તો માર્કેટ બંધ કરાવાશે. આ વર્ષે વરસેલા ભારે વરસાદથી સુરતના અનેક રોડ ધોવાઈ ગયા છે. તુટેલા કે ધોવાઈ ગયેલા રસ્તાઓનું નિરીક્ષણ કરવા નિકળેવા મ્યુનિસિપલ કમિશનરે કહ્યું કે આગામી સાત દિવસમાં સુરત શહેરમાં વરસાદને કારણે રસ્તાઓમાં પડેલા ખાડાઓ પુરી દેવાશે.
આજે સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ સુરતના રસ્તાઓની કામગીરી જોવા રાઉન્ડ લીધો હતો. તેમણે પાલિકા તંત્રનો બચાવ કરતા જણાવ્યું હતું કે આ રસ્તાઓ ભ્રષ્ટાચારના કારણે નહિ પણ શહેરમાં વરસેલા દેમાર વરસાદને કારણે ધોવાયા છે. હાલ જ્યારે વરસાદે વિરામ લીધો છે ત્યારે આગામી સાત દિવસમાં તમામ રસ્તાઓનું સમારકામ પૂર્ણ કરવામાં આવશે..
કોરોના અંગે પ્રશ્ન પૂછતાં તેમણે ઉમેર્યું હતું કે હીરાઉધોગમાં જે ફરીથી સંક્રમણ વધી રહ્યું છે જેથી હવે જો આ ઉધોગમાં નિયમોનું પાલન નહિ થાય તો જે તે યુનિટને બંધ કરવામાં આવશે. તે જ પ્રમાણે ટેક્સટાઇલ ઉધોગમાં બહારથી આવતા લોકોને ફરજીયાત સાત દિવસ હોમ ક્વોરેન્ટાઇન રહેવું પડશે અને રેપીડ ટેસ્ટ કર્યા બાદ જ તેઓ કામ પર પાછા ફરી શકશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો