ઝાલોદના કોર્પોરેટર હિરેન પટેલની હત્યા કેસમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ગૃહરાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ ATS, ક્રાઈમ બ્રાંચના અધિકારી સાથે બેઠક કરી. ભાજપના આગેવાન અને મૃતક હિરેન પટેલના ઘરે જ ગૃહ રાજ્યપ્રધાને તપાસ અધિકારીઓ સાથે ચર્ચા કરી.
હત્યામાં શું થયા ખુલાસા ?
ઝાલોદના ચકચારી ભાજપ કાઉન્સિલર હિરેન પટેલની હત્યા કેસમાં મોટો ખુલાસો. હિરેન પટેલની રાજકીય અદાવતમાં હત્યા થયાનું તપાસમાં સામે આવ્યુ છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચ, દાહોદ LCB સહિતની અન્ય એજન્સીએ સંયુક્ત તપાસ કરી ગુનાનો ભેદ ઉકેલ્યો છે. ઝાલોદના અજય કલાલે 4 લાખ રૂપિયાની સોપારી આપીને હત્યા કરાવી હતી. આ કેસમાં 2002 ગોધરા રેલવે હત્યાકાંડના આરોપી ઈરફાનની સંડોવણી સામે આવી. તો મધ્યપ્રદેશ એક આરોપી અને રાજસ્થાનના સજ્જનસિંહ ચૌહાણનું નામ પણ સામે આવ્યું છે. મધ્યપ્રદેશના મેહદપુર રોડ પરના ઢાબા પર હત્યાનું કાવત્રું રચાયું હતું. દાહોદ ક્રાઈમ બ્રાંચે વેશ પલટો કરી ઢાબા પર વોચ રાખી ઢાબાના માલિક સહિતના એક શખ્સને ઝડપી પાડ્યો હતો. આ સ્થળેથી જ હત્યારાઓને ગાડીની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી.