હરિયાણામાં જીત મેળવેલા ભાજપના ધારાસભ્યોની એક બેઠક ચંદીગઢમાં યોજાઈ હતી. આ બેઠકમાં મનોહરલાલ ખટ્ટરને ધારાસભ્ય દળના નેતા ચૂંટવામાં આવ્યા છે. આ પછી જેજેપી નેતા દુષ્યંત ચૌટાલા અને કેન્દ્રિય પ્રધાન રવિશંકર પ્રસાદની સાથે રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્યને મળવા રાજભવન પહોંચ્યા હતા.
આ પણ વાંચોઃ પેટાચૂંટણીના પરિણામનું પોસ્ટમોર્ટમઃ અમરાઈવાડી બેઠક પર એકલા હાથે ઉમેદવારોએ લડી ચૂંટણી!
પહેલા મનોહરલાલ ખટ્ટરે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. આ સાથે સરકાર બનાવવા માટે દાવો રજૂ કર્યો હતો. મુલાકાત બાદ ખટ્ટરે કહ્યું કે, દિવાળીના દિવસે બપોરે 2:15 વાગ્યે મુખ્યમંત્રી પદ તરીકે શપથ લેશે. મહત્વની વાત છે કે, ભાજપ અને જેજેપીમાં ફોર્મ્યુલા પ્રમાણે નક્કી થયું છે. જેમાં મુખ્યપ્રધાન ભાજપના અને ઉપમુખ્યમંત્રી જેજેપીના રહેશે.
મુખ્યમંત્રી તરીકે મનોહરલાલ ખટ્ટર અને ઉપમુખ્યમંત્રી તરીકે દુષ્યંત ચૌટાલા બનશે. શપથવિધિનું આયોજન રાજભવન ખાતે કરવામાં આવ્યું છે.