બુલેટ ટ્રેનના જમીન સંપાદનને લઈને ખેડૂતોને હાઈકોર્ટમાંથી ઝટકો, 4 ગણું વળતર આપવાની માગણી ફગાવી

|

Sep 19, 2019 | 9:51 AM

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદનને લઈને ખેડૂતોને હાઈકોર્ટથી ઝટકો મળ્યો છે. હાઈકોર્ટે 4 ગણુ વળતર આપવાની ખેડૂતોની માગણી ફગાવીને બુલેટ ટ્રેનને લીલી ઝંડી આપી છે એટલે કે ખેડૂતોનો હવે બજાર કિંમત કરતા પણ ઓછુ વળતર ચુકવાશે. જોકે હાઈકોર્ટના ચુકાદાને ખેડૂતો હવે સુપ્રીમ કોર્ટમાં પડકારશે. Web Stories View more મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 […]

બુલેટ ટ્રેનના જમીન સંપાદનને લઈને ખેડૂતોને હાઈકોર્ટમાંથી ઝટકો, 4 ગણું વળતર આપવાની માગણી ફગાવી

Follow us on

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદનને લઈને ખેડૂતોને હાઈકોર્ટથી ઝટકો મળ્યો છે. હાઈકોર્ટે 4 ગણુ વળતર આપવાની ખેડૂતોની માગણી ફગાવીને બુલેટ ટ્રેનને લીલી ઝંડી આપી છે એટલે કે ખેડૂતોનો હવે બજાર કિંમત કરતા પણ ઓછુ વળતર ચુકવાશે. જોકે હાઈકોર્ટના ચુકાદાને ખેડૂતો હવે સુપ્રીમ કોર્ટમાં પડકારશે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

તેઓ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવશે. ઉલ્લેખનીય છે કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદનના વિરોધમાં ખેડૂતોએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેમાં ખેડૂતોએ જમીન સંપાદન સામે ઓછુ વળતર મળવાની ફરિયાદ કરી હતી.

આ પણ વાંચો:   VIDEO: ગુજરાતમાં આગામી 72 કલાકમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યા ક્યા વિસ્તારોમાં પડશે વરસાદ

બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈ જમીન સંપાદનના વિવાદનું આખરે મૂળ શું છે જો તેની વાત કરીએ તો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત આવતી જમીન માટે ખેડૂતો વધુ વળતરની માગ કરી રહ્યા છે. એક તરફ સરકાર ખેડૂતોને જમીન સંપાદન માટે 2011ની જંત્રી મુજબ ભાવ ચૂકવે છે જે ખરેખરમાં હાલની કિંમત કરતા ઘણી ઓછી છે.  આમ ખેડૂતો પોતાની જમીન માટે વર્તમાન કિંમતને આધારે વળતર ચૂકવાય તેવી માગ કરી રહ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જે માટે ખેડૂતોએ હાઈકોર્ટમાં રજૂઆત પણ કરી છે.  ખેડૂતોની સ્પષ્ટ રજૂઆત છે કે સરકાર જે ભાવે જમીન બીજાને વેચે તે ભાવે જ ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે.  જેના માટે ખેડૂતોએ આણંદમાં ઊંચા ભાવે વેચેલી જમીનનો ભાવનો ચાર્ટ પણ રજૂ કર્યો હતો. હાલ તો જમીન સંપાદનને લઈને ખેડૂતોની તમામ દલીલોની સુનાવણી પૂર્ણ થઈ ચૂકી છે. હાઈકોર્ટમાં ઝાકારો મળતાં હવે ખેડૂતો સુપ્રીમમાં જઈને પોતાના આ કેસ અંગે દાદ માગી શકે છે.

Next Article