ગુજરાત પેટાચૂંટણીનું મતદાન પૂર્ણઃ હાઈપ્રોફાઈલ બેઠક રાધનપુરમાં અલ્પેશ ઠાકોર જીત મેળવશે?
પેટાચૂંટણીમાં આમ તો 6 બેઠકો હતી. જો કે સૌની નજર રાધનપુરના રણ પર જ રહી હતી. અલ્પેશ ઠાકોર શું ફરી એકવાર રાધનપુરના જીતી મેળવી શકે. આ સવાલ જ સમગ્ર પેટાચૂંટણીમાં ચર્ચાનો વિષય રહ્યો. ત્યારે હવે પેટાચૂંટણીમાં મતદાન થઇ ગયું છે. અને રાધનપુરની જનતાએ પોતાનો ચુકાદો પણ આપી દીધો છે. હવે 24મીએ જ્યારે પરિણામ આવશે ત્યારે […]
પેટાચૂંટણીમાં આમ તો 6 બેઠકો હતી. જો કે સૌની નજર રાધનપુરના રણ પર જ રહી હતી. અલ્પેશ ઠાકોર શું ફરી એકવાર રાધનપુરના જીતી મેળવી શકે. આ સવાલ જ સમગ્ર પેટાચૂંટણીમાં ચર્ચાનો વિષય રહ્યો. ત્યારે હવે પેટાચૂંટણીમાં મતદાન થઇ ગયું છે. અને રાધનપુરની જનતાએ પોતાનો ચુકાદો પણ આપી દીધો છે. હવે 24મીએ જ્યારે પરિણામ આવશે ત્યારે જ ખબર પડશે કે રાધનપુરમાંથી અલ્પેશ ઠાકોર જીતશે કે નહીં?
આ પણ જાણોઃ ગુજરાતની 6 બેઠક પર પેટાચૂંટણી માટે મતદાન પૂર્ણ…જાણો કઈ બેઠક પર કેટલું મતદાન
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
કોંગ્રેસમાં બળવો કરીને ભાજપમાં આવનારા અલ્પેશ ઠાકોરને શું રાધનપુરની જનતા ફરી એકવાર વિધાનસભા મોકલશે ? આ સવાલનો જવાબ 24 ઓક્ટોબરે મળી જશે. પરંતુ અલ્પેશ ઠાકોરે દાવો કર્યો છે કે તેઓને 2017થી વધુ લીડ મળશે.
રાધનપુરથી જો અલ્પેશ ઠાકોર ચૂંટણી જીતશે તો પ્રધાન બનશે કે નહીં તે સવાલ સૌથી મહત્વનો છે. પોતે અલ્પેશ ઠાકોરે પ્રચાર દરમિયાન દાવો કર્યો હતો કે તેઓનું પ્રધાન બનવું નક્કી છે. અલ્પેશ ઠાકોરે મત પણ આ મુદ્દે જ માંગ્યા હતા.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
2017 અલ્પેશ ઠાકોરને 14 હજારની સરસાઇથી જીત મેળવી હતી. આમ તો રાધનપુરની બેઠક પર ભાજપનો દબદબો હતો. જો કે 2017માં અલ્પેશ ઠાકોરે ભાજપના વિજયના રથને રોકલ્યો હતો. પરંતુ 2019માં તો અલ્પેશ ઠાકોર ભાજપમાંથી જ ચૂંટણી લડ્યા છે. એટલે ભાજપની સ્થિત મજબૂત થઇ. ધવલસિંહ ઝાલાનું શું થશે ?
અલ્પેશ ઠાકોર સાથે ધવલસિંહ ઝાલાએ પણ કોંગ્રેસનો સાથ છોડ્યો હતો. ભાજપે બાયડમાંથી ધવલસિંહને ટિકિટ આપી બાયડથી જ મેદાનમાં ઉતાર્યા. ત્યારે સવાલએ છે કે, કોંગ્રેસમાંથી જીત મેળવનારા ધવલસિંહ ઝાલાને શું ભાજપમાંથી જીત મળશે??? 2017ની ચૂંટણીમાં બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસે સપાટો બોલાવ્યો હતો. આમ પણ બાયડને કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. 2017 અને તે પહેલા 2012માં પણ બાયડમાં કોંગ્રેસે જીત મેળવી હતી. ત્યારે આ વખતે 58 ટકાથી વધુ થયેલા મતદાનમાં ધવલસિંહ ઝાલાને હાર મળે છે કે જીત તેના જાણવા 24 ઓક્ટોબરની રાહ જોવી પડશે.