કોરોના વાઈરસના કેસ ભારતમાં સતત વધી રહ્યાં છે. અત્યારસુધીમાં 2 લોકોના મોત પણ નીપજ્યાં છે. સરકારે કોરોના વાઈરસને મહામારી ઘોષિત કરી દીધી છે અને તેનાથી મૃત્યુ થાય તો સરકાર 4 લાખની આર્થિક સહાય ચૂકવશે. સરકારના રાજ્ય આફત કોષમાંથી આ રકમ ચૂકવવાની જાહેરાત કરવામાં આવી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
Home Ministry: Rs 4 lakh will be paid as ex-gratia to the family of the person who will lose their life due to #Coronavirus, including those involved in relief operations or associated in response activities.#TV9News https://t.co/9P8yCd8F7v
— Tv9 Gujarati (@tv9gujarati) March 14, 2020
આ પણ વાંચો : સસ્તા અનાજના દુકાનદારોની 1 એપ્રિલથી હડતાળ પાડવાની ચીમકી, સરકારની નીતિઓ સામે ચડાવી બાંયો
આ માત્ર કોરોનાના દર્દીઓને જ લાગુ નહીં પડે પણ જે લોકો હાલ કોરોનાની સામે જંગમાં રાહતકાર્યમાં જોડાયેલાં છે તેમની સામે પણ લાગુ પડશે. 4 લાખ રુપિયાની રકમ પરિવારજનોને ચૂકવવામાં આવશે. દેશમાં કોરોના વાઈરસના પોઝિટીવ દર્દીઓની સંખ્યા 89 સુધી પહોંચી ગયી છે. જ્યારે 2 દર્દીઓને મોતની પુષ્ટિ ભારત સરકાર દ્વારા કરવામાં આવી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 11:52 am, Sat, 14 March 20