સરકાર પુલવામા હુમલાને લઈને કરી રહી છે કાર્યવાહીનો રોડમેપ તૈયાર, PM મોદીએ કહ્યું ‘પાકિસ્તાન પાસેથી એક એક આંસુનો બદલો લઈશું’

|

Feb 24, 2019 | 4:47 AM

મોદી સરકાર હવે પુલવામા હુમલાને લઈને પોતાની રણનીતિ બનાવવામાં લાગી છે. હાલ ગુહમંત્રી રાજનાથસિંહ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યવાહી કેવી રીતે કરવી તે અંગેના રોડમેપ વિશે વાતચીત કરી હતી. TV9 Gujarati   આ બાજુ રાજનીતિક દાવપેટ રમીને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પાકિસ્તાનને દબોચવાનો એક પણ મોકો ભારત જવા દેવા માગતું નથી. ઈસ્લામિક યુનિયન જે 57 દેશનું […]

સરકાર પુલવામા હુમલાને લઈને કરી રહી છે કાર્યવાહીનો રોડમેપ તૈયાર, PM મોદીએ કહ્યું પાકિસ્તાન પાસેથી એક એક આંસુનો બદલો લઈશું

Follow us on

મોદી સરકાર હવે પુલવામા હુમલાને લઈને પોતાની રણનીતિ બનાવવામાં લાગી છે. હાલ ગુહમંત્રી રાજનાથસિંહ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યવાહી કેવી રીતે કરવી તે અંગેના રોડમેપ વિશે વાતચીત કરી હતી.

TV9 Gujarati

 

આ બાજુ રાજનીતિક દાવપેટ રમીને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પાકિસ્તાનને દબોચવાનો એક પણ મોકો ભારત જવા દેવા માગતું નથી. ઈસ્લામિક યુનિયન જે 57 દેશનું બનેલું છે તે આઈઓસી(ઓેર્ગાનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોર્પોરેશન)માં પણ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ પાકિસ્તાનને પુલવામા મુદ્દે ઘેરવાની તૈયારી કરી રહ્યા છે. દિલ્હીમાં પણ ગૃહમંત્રી રાજનાથસિંહ સાથે વડાપ્રધાન મોદીએ કેવી રીતે આ પરિસ્થિતિને પહોંચવા માટે રોડ-મેપ તૈયાર કરવો તેને લઈને ચર્ચા કરી હતી.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

પાકિસ્તાનને સબક શિખવવા માટે ભારત હવે ડિપ્લોમેટીક સાથે મિલિટ્રી કાર્યવાહી કરવાના સંકેત આપી રહ્યું છે. પાકિસ્તાન સામે કેવી રીતે કાર્યવાહી કરવી તેને લઈને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ તેમજ અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે ગૃહમંત્રી રાજનાથસિંહે ચર્ચા કરી હતી. આ ચર્ચા બાદ રાજનાથસિંહે વડાપ્રધાન મોદી સાથે એક કલાક સુધી કેવી રીતે કાર્યવાહી થઈ શકે તેના રોડમેપ વિશે વાત કરી છે. આમ ભારત આંતરરાષ્ટ્રીય કૂટનીતિની સાથે સેનાની કાર્યવાહી કરે તેવા સંકેત મળી રહ્યાં છે.

પુલવામા હુમલાને લઈને લોકોનો આક્રોશ ફાટી નિકળ્યો છે અને નક્કર કાર્યવાહીની દેશમાંથી માગ ઉઠી રહી છે. શનિવારે વડાપ્રધાન મોદીએ રાજસ્થાનમાં એક ટૉક શૉમાં લોકોને કહ્યું કે ‘માં ભવાની પર ભરોસો રાખો. પાકિસ્તાન પાસેથી એક એક આંસુનો બદલો લેવામાં આવશે.’ તેમણે કહ્યું કે આ આતંકવાદની ફેક્ટ્રી પર અમે તાળું મારી દઈશું.

[yop_poll id=1749]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article