ભારત સરકાર પોતાના ઉપલા ગૃહના 250માં સત્રને લઈને એક વિશેષ આયોજન કરી રહી છે. જેમાં 250મું સત્ર હોવાથી 250 રુપિયાનો સિક્કો બહાર પાડવામાં આવશે. શુદ્ધ ચાંદીથી આ સિક્કો બનાવવામાં આવશે. શુદ્ઘ ચાંદીથી ભારત સરકાર આ ત્રીજો સિક્કો બનાવવા જઈ રહી છે. આ પહેલા ગાંધીજીની 150મી જન્મજયંતિ નિમિત્તે 150 રુપિયાનો સિક્કો બહાર પાડવામાં આવ્યો હતો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પહેલાં 1981ની સાલમાં આંતરરાષ્ટ્રીય બાળવર્ષની ઉજવણી નિમિત્તે શુદ્ધ ચાંદીનો સિક્કો બહાર પાડવામાં આવ્યો હતો. મુંબઈની ટંકશાળ ખાતે આ 250 રુપિયાનો સિક્કો બનાવવામાં આવશે. આ સિક્કાનું વજન 40 ગ્રામ હશે. આ સિક્કામાં લહેરાતા ત્રિરંગા સાથે સંસદભવનું ચિત્ર જોવા મળશે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]