ગલવાન ક્ષેત્રમાં વધેલા તણાવ વચ્ચે ભારત અને ચીન વચ્ચે ફોન પર વાતચીત, અથડામણ મુદ્દે ભારતે ચીનને જવાબદાર ઠેરવ્યું, કહ્યું ચીને જાણીજોઈને ઉઠાવ્યું આ પગલું
લદ્દાખમાં ગલવાન ઘાટીમાં ચીની સેના સાથે ઝડપમાં 20 જવાનો શહિદ થયા બાદ કેન્દ્ર સરકાર એક્શનમાં આવી ગઈ છે. બોર્ડર પર તણાવ વચ્ચે વિદેશ પ્રધાન એસ જયશંકરે ચીનના વિદેશ પ્રધાન વાંગ યી સાથે ફોન પર વાત કરી છે અને સીધી રીતે જ ભારતે અથડામણ મુદ્દે ચીનને જ જવાબદાર ઠેરવી દીધું છે. એસ.જયશંકરે ફોન પર ચીનના વિદેશ […]
લદ્દાખમાં ગલવાન ઘાટીમાં ચીની સેના સાથે ઝડપમાં 20 જવાનો શહિદ થયા બાદ કેન્દ્ર સરકાર એક્શનમાં આવી ગઈ છે. બોર્ડર પર તણાવ વચ્ચે વિદેશ પ્રધાન એસ જયશંકરે ચીનના વિદેશ પ્રધાન વાંગ યી સાથે ફોન પર વાત કરી છે અને સીધી રીતે જ ભારતે અથડામણ મુદ્દે ચીનને જ જવાબદાર ઠેરવી દીધું છે. એસ.જયશંકરે ફોન પર ચીનના વિદેશ પ્રધાનને સ્પષ્ટ કહી દીધું કે, સરહદ પર જે કઈ થયું તેના માટે ચીન જ જવાબદાર છે. ચીને જાણી જોઈને આ પગલુ ભર્યું.. એટલું જ નહીં વિદેશ પ્રધાને કહ્યું કે, સરહદ પર આ ઘટનાથી બંને દેશોના સંબંધો પર અસર પડશે. આ સમયે ચીને લીધેલા પગલાનું મુલ્યાંકન કરી પગલા ભરવા જોઈએ તો ચીનના વિદેશ પ્રધાને બંને પક્ષોના મતભેદોને દૂર કરવા માટે તાજેતરના સંવાદને મજબૂત કરવાની વાત પર પણ ભાર મૂક્યો છે.