પૂર્વ નાણા પ્રધાન અરુણ જેટલીનું 66 વર્ષે નિધન, જાણો વિદ્યાર્થી નેતા, વકીલ અને રાજનેતા તરીકે અરુણ જેટલી

|

Aug 24, 2019 | 5:02 PM

અરુણ જેટલીનું લાંબી બીમારી બાદ નિધન થયું છે. જેને લઈને રાજનીતિમાં ફરી એક વખત શોકનો સમય છે. થોડા દિવસો અગાઉ જ શિલા દિક્ષીત અને સુષમા સ્વરાજનું પણ નિધન થયું છે. અરુણ જેટલી 2014માં મોદી સરકારમાં નાણા પ્રધાનની જવાબદારી નિભાવી હતી. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more મુકેશ અંબાણીએ […]

પૂર્વ નાણા પ્રધાન અરુણ જેટલીનું 66 વર્ષે નિધન, જાણો વિદ્યાર્થી નેતા, વકીલ અને રાજનેતા તરીકે અરુણ જેટલી

Follow us on

અરુણ જેટલીનું લાંબી બીમારી બાદ નિધન થયું છે. જેને લઈને રાજનીતિમાં ફરી એક વખત શોકનો સમય છે. થોડા દિવસો અગાઉ જ શિલા દિક્ષીત અને સુષમા સ્વરાજનું પણ નિધન થયું છે. અરુણ જેટલી 2014માં મોદી સરકારમાં નાણા પ્રધાનની જવાબદારી નિભાવી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

અરુણ જેટલીના જીવનની કેટલીક વાતો

અરુણ જેટલીનો જન્મ 28 ડિસેમ્બર 1952માં નવી દિલ્હીના નારાયણ વિહાર વિસ્તારના જાણીતા વકીલ મહારાજ કિશન જેટલીના ઘરે થયો હતો. અરુણ જેટલીનું પ્રાથમિક શિક્ષણ નવી દિલ્હીની સેન્ટ ઝેવિયર સ્કૂલમાં થયું હતું. 1973માં તેમણે શ્રીરામ કોલેજ ઓફ કોમર્સમાંથી કોમર્સ વિષયમાં સ્નાતકની પદવી મેળવી હતી. જે બાદ લોનો અભ્યાસ કરવા માટે 1977માં દિલ્હીની વિશ્વવિદ્યાલયમાં દાખલો લીધો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

અભ્યાસ દરમિયાન અનેક પ્રવૃતિમાં પણ કાર્યરત રહેતા હતા. 1974માં દિલ્હી વિશ્વવિદ્યાલયમાં વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ ચૂંટાયા હતા. આ સાથે જ તેમની રાજનીતિમાં એન્ટ્રી થઈ ચૂકી હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

1974માં અરુણ જેટલી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે જોડાયા. 1975માં કટોકટી સમયે વિરોધના પગલે તેમને 19 મહિના સુધી નજરબંધ રાખ્યા હતા. 1973માં તેમણે જયપ્રકાશ નારાયણ અને રાજનારાયણ દ્વારા ચાલતા ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનમાં પણ સક્રિય ભૂમિકા નિભાવી.

[yop_poll id=”1″]

કટોકટી બાદ 1977માં હાઈકોર્ટમાં વકીલાતની તૈયારી શરૂ કરી દીધી. સુપ્રીમ કોર્ટ પહેલા અનેક હાઈકોર્ટમાં પ્રેક્ટીસ કરી ચૂક્યા હતા. 1990માં અરુણ જેટલીએ ઉચ્ચતમ ન્યાયાલયમાં વરિષ્ઠ વકીલ સ્વરૂપે પોતાની નોકરી શરૂ કરી હતી.

વી.પી સિંહની સરકારમાં અરુણ જેટલીને 1989માં કાર્યકારી સોલિસિટર જનરલ નિયુક્ત કર્યા હતા. તો બોફર્સ ગોટાળાના કેસમાં તેમને પેપરવર્ક કર્યું હતું. અરુણ જેટલીએ કાનૂન પર અનેક લેખ લખ્યા.

1991માં તેઓ ભારતીય જનતા પાર્ટીના સદસ્ય બન્યા હતા. 1999ની લોકસભા ચૂંટણી દરમિયાન તેઓ ભાજપના પ્રવક્તા બન્યા અને ભાજપની કેન્દ્રમાં સરકાર બનતા અરુણ જેટલી સૂચના અને પ્રસારણ વિભાગનો સ્વંતત્ર પ્રભાર સોંપ્યો હતો. જે બાદ તેમને વિનિવેશ સ્વતંત્ર રાજ્યમંત્રી બન્યા હતા.

રામ જેઠમલાણીએ કાનૂન, ન્યાય અને કંપની અફેયર વિભાગ છોડ્યા બાદ અરુણ જેટલીને આ વિભાગનો વધારોનો ચાર્જ સોંપાયો હતો. 2000માં લોકસભા ચૂંટણી બાદ તેમને કાનૂન, ન્યાય, કંપની અફેયર અને શિપિંગ વિભાગના મંત્રી બનાવ્યા હતા. તો ભાજપની સરકાર કેન્દ્રમાંથી જતાં જેટલી ફરી વકીલાત શરૂ કરી દીધી.

2006માં અરુણ જેટલી ગુજરાતની રાજ્યસભા બેઠક પરથી સંસદમાં પહોંચ્યા હતા. પોતાના મંત્રીપદના કાર્યકાલ દરમિયાન સંવિધાનના 84 અને 91 નંબરના સંશોધનમાં મહત્વની ભૂમિકા અદા કરી હતી.

Published On - 7:25 am, Sat, 24 August 19

Next Article