અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે ટ્રસ્ટ સરકારે બનાવી દીધું છે. આ ટ્રસ્ટનું નામ ‘શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર’ રાખવામાં આવ્યું છે. આ ટ્ર્સ્ટની પ્રથમ બેઠક 19 ફેબ્રુઆરીના રોજ મળવા જઈ રહી છે. સાંજે પાંચ વાગ્યે આ બેઠક મળશે. ત્યારે આ બેઠક બાદ જાહેરાત થઈ શકે છે કે ક્યારે રામમંદિરનું કાર્ય શરૂ થઈ શકે છે.
આ પણ વાંચો : U-19 WC : ભારતને હરાવી બાંગ્લાદેશ ઈતિહાસમાં પ્રથમવાર ચેમ્પિયન બન્યું
આ સિવાય ટ્રસ્ટમાં અધ્યક્ષ કોણ રહેશે, મહામંત્રી અને કોષાધ્યક્ષ કોણ હશે તેના નામ પર પણ મહોર મારવામાં આવે તેવી શક્યતાઓ છે. સૂત્રોના હવાલેથી જાણકારી મળી રહી છે કે આગામી રામનવમી એટલે 2 એપ્રિલ, 2020 અથવા તો અક્ષય તૃતીયા એટલે 26 એપ્રિલથી રામમંદિરના નિર્માણનું કાર્ય શરૂ થઈ શકે છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
અયોધ્યાના રામ મંદિરના ટ્રસ્ટમાં એક સ્થાન દલિત સમાજને પણ આપવામાં આવ્યું છે. ભાજપની સામે અમુક નેતાઓએ પ્રસ્તાવ મુક્યો છે કે ઓબીસી પ્રતિનિધિ પણ એક મંદિરના ટ્રસ્ટમાં રાખવામાં આવે અને તેને લઈને વિચાર કરવામાં આવી શકે છે. આ ઉપરાંત વિશ્વ હિંદુ પરિષદે કહ્યું છે કે જો ટ્ર્સ્ટ કહેશે તો અમે મંદિરના નિર્માણ માટે દેશભરમાંથી ફંડ એકઠું કરી શકીએ છીએ.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]