યૂરોપિયન સંઘના 27 સાંસદ જમ્મુ-કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા, રાહુલ ગાંધીએ કર્યો આ કટાક્ષ

|

Oct 29, 2019 | 6:24 AM

યૂરોપિયન સંઘના 27 સાંસદ જમ્મુ કાશ્મીરની મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન તેઓ જમ્મુ-કાશ્મીરના મુખ્ય સચિવ, રાજ્યપાલ સહિત ઘાટીના યુવાનો સાથે મુલાકાત કરશે. અને જમ્મુ કાશ્મીરની હાલની સ્થિતિનો તાગ મેળવશે. મહત્વપૂર્ણ છે કે યૂરોપિયન સાસંદોએ આ પહેલા સોમવારે PM મોદી સાથે મુલાકાત કરી હતી. અને કલમ 370 હટાવ્યા બાદ જમ્મુ કાશ્મીરની સ્થિતિ પર ચર્ચા કરી હતી. […]

યૂરોપિયન સંઘના 27 સાંસદ જમ્મુ-કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા, રાહુલ ગાંધીએ કર્યો આ કટાક્ષ

Follow us on

યૂરોપિયન સંઘના 27 સાંસદ જમ્મુ કાશ્મીરની મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન તેઓ જમ્મુ-કાશ્મીરના મુખ્ય સચિવ, રાજ્યપાલ સહિત ઘાટીના યુવાનો સાથે મુલાકાત કરશે. અને જમ્મુ કાશ્મીરની હાલની સ્થિતિનો તાગ મેળવશે. મહત્વપૂર્ણ છે કે યૂરોપિયન સાસંદોએ આ પહેલા સોમવારે PM મોદી સાથે મુલાકાત કરી હતી. અને કલમ 370 હટાવ્યા બાદ જમ્મુ કાશ્મીરની સ્થિતિ પર ચર્ચા કરી હતી.

આ પણ વાંચોઃ દેશના નવા CJI બનશે જસ્ટિસ એસ.એ.બોબડે, રાષ્ટ્રપતિએ નિયુક્તિ પર કર્યા હસ્તાક્ષર

જોકે યૂરોપિયન સાંસદોની આ એક ખાનગી મુલાકાત હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે આજની યુરોપીયન સાસંદોની જમ્મુ કાશ્મીરની મુલાકાત પહેલા રાજકારણ પણ ગરમાયું છે. કોંગ્રેસ પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને યુરોપીયન સાંસદનું સ્વાગત કર્યું.સાથે સાથે રાહુલે કટાક્ષ પણ કર્યો કે યૂરોપિયન સાંસદો માટે લાલ જાજમ અને ભારતીય સાંસદોની મુલાકાત પર પ્રતિબંધ મુકીને તેમને કેમ રોકવામાં આવે છે.

અજીત ડોભાલે યુરોપિયન સંઘના સાંસદો માટે સોમવારે લંચનું પણ આયોજન કર્યું હતું. જેમાં જમ્મુ-કાશ્મીરની પાર્ટીના નેતાઓ પણ હાજર રહ્યા હતા. જેમાં એક નેતા PDP અને કોંગ્રેસના નેતા પણ હાજર રહ્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મહત્વપૂર્ણ છે કે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 અને 35A હટાવ્યા બાદ રાહુલ ગાંધીએ ઓગસ્ટમાં જમ્મુ કાશ્મીરની મુલાકાત લીધી હતી. પરંતુ તેમને એરપોર્ટ પરથી જ રવાના કરી દેવામાં આવ્યા હતા. જેથી આજે યુરોપિયન સાસંદોની મુલાકાત પહેલા રાહુલે કેન્દ્ર સરકારને આડે હાથ લેતા ઘેરવાનો પ્રયાસ કર્યો. કોંગ્રેસનું માનવું છે કે, ભારતીય સાંસદો પર સરકાર રોક લગાવે છે. જ્યારે યુરોપિયન સાંસદોનું સ્વાગત કરવામાં આવે છે. તો ભારતીય સાંસદોનું આવું અપમાન કેમ? તો કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કેન્દ્ર સરકારને સવાલ કર્યો કે જમ્મુ કાશ્મીર મુદ્દે યૂરોપિયન સાસંદોને પંચ કેમ બનાવમાં આવ્યા. મહત્વપૂર્ણ છે કે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ કોઇ વિદેશી પ્રતિનિધિ મંડળની આ પ્રથમ મુલાકાત હશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article